પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની કમાન અલ્પેશ કથીરીયાને સુપરત કરવાના હાર્દિકના નિર્ણયને લઈ અનેક સવાલો ઉભા થયા હતા. અલ્પેશ કથીરીયા ગંભીર છે અને હાર્દિક ગંભીર નથી તેવા પ્રકારની ચર્ચા અંગેનો રિપોર્ટ ‘સત્ય ડે’ દ્વારા પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. ગઈકાલથી મીડિયાનો અલ્પેશ કથીરીયા તરફ એટલો બધો પ્રેમ ઉભરાયો કે જેલમાંથી મૂક્ત થયા બાદ માત્ર અને માત્ર અલ્પેશ કથીરીયા કેવા કપડાં પહેરે છે, શું ખાય છે, કેવી રીતે રહે છે વગેરે-વગેરે ઝીણી-ઝીણી વાતો ટેલિકાસ્ટ કરી. કેટલાકે બ્રેકીંગમાં ચલાવી. વાત એ ન હતી કે અલ્પેશ કથીરીયાને વધુ ફૂટેજ આપવામાં આવ્યા પણ વાત એ છે કે જાણે હાર્દિકનો સફાયો થઈ ગયો હોય અને હવે બસ કથીરીયા જ બધું પતાવી દેશે એવું વાતાવણ ઉભું કરવામાં આવ્યું.
વાસ્તવિક્તા એ છે કે અલ્પેશ કથીરીયાને હાર્દિકે જ કમાન સોંપી છે, એવું માની લઈએ અને એવું પણ માની લઈએ કે કદાચ આ PAASની રણનીતિનો એક ભાગ છે, પણ ભાજપને હરખપદુડા થવાનો મોકો તો જરૂર મળ્યો છે. PAASની કમાન હાર્દિક પાસે હતી ત્યારે જે લોકો ફરકતા પણ ન હતા તેઓ ફરી પાછા PAASમાં ડોકાતા થઈ ગયા છે. એનો અર્થ એ છે કે હાર્દિકને PAASની કેપ્ટનશીપ છોડવા માટે જે સલાહ આપવામાં આવી તે કસમયની છે. હાલ અનામતની માંગની લડાઈ નિર્ણાયક તબક્કામાં છે, ત્યારે કથીરીયાને PAASનો સર્વોપરી બનાવવાની વાત ઘડીયાળના કાંટાને ઊંઘા ફેરવવા સમાન બની રહેશે. નો ડાઉટ, કથીરીયામાં ઘણી બધી એફિસીયન્સી છે અને ગટ્સ પણ છે. PAASને હેન્ડલ કરવાની ક્ષમતા છે પરંતુ હાર્દિક પટેલ જેટલા તોખારો નથી, હોકાટો નથી. ધીર- ગંભીરતા સારી વાત છે પણ જ્યારે રાવણાને લઈને ચાલવાની વાત હોય તો હાર્દિકના બાઉન્સરોની જરૂર પડવાની જ છે.
આ મુદ્દે હાર્દિકે આજે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે હું જેવો છું તેવો લડાઈ સાચી છે અને આ લડાઈને હું છોડવાનો નથી. આંદોલન ચાલુ રહેવાનું છે.સાથ અને સહયોગ આપતા રહો જીતીશું એ જવાબદારી હું આપું છું.
https://www.facebook.com/HardikPatel.Official/posts/2244128082528558