છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સર્જાતા છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રવિવારે પણ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ત્યારે હજુ પણ હવામાન ખાતાએ બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.
તા. 31 ઓગસ્ટે બનાસકાંઠા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાડ અને દિવમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.