Hitesh Vaghasiya resigns from AAP : હિતેશ વઘાસિયાનું વિસ્ફોટક નિવેદન: “ઈટાલિયાએ ભૂપત ભાયાણીને ભાજપમાં ધકેલ્યો”
Hitesh Vaghasiya resigns from AAP : આમ આદમી પાર્ટી (AAP)માં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈને ગભરાટ સર્જાઈ છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જૂનાગઢ લોકસભાના ઈન્ચાર્જ હિતેશ વઘાસિયાએ પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવતા રાજીનામું આપી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
હિતેશ વઘાસિયાના દાવા મુજબ, વર્ષ 2022માં વિસાવદર વિધાનસભાની ટિકિટ એવા ઉમેદવારને મળવી જોઈતી હતી જેણે સ્વચ્છ છબી ધરાવતી હોય અને પાર્ટી માટે મહેનત કરી હોય, પરંતુ પાર્ટીએ અનિચ્છિત અને બિનજાણ્યા ઉમેદવારને ટિકિટ આપી દીધી, જે મૂળભૂત રીતે ભાજપ સાથે જોડાયેલો હતો. તે વખતે પણ હિતેશ અને તેમના સમર્થકો એ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો કે આ પ્રકારના ઉમેદવારો ‘આપ’ માટે ફાયદાકારક નથી.
હિતેશએ ભૂપત ભાયાણી વિશે જણાવ્યું કે 2022ની જીત પછી તે ત્રીજા દિવસે જ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, અને આ નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ગોપાલ ઈટાલિયાની હતી. ગોપાલે ભૂપત ભાયાણીને હિંમત આપી કે ‘તમે આપ છોડીને જઈ શકો, અમે તમારા સાથે છીએ’ અને તેમની ચૂંટણી લડવાની ઈચ્છાને કારણે આ બધું થયું. હિતેશ કહે છે કે આ આખી પ્રક્રિયામાં આપના કેટલાક કાર્યકરો સાથે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા દિલ્હી ગયા હતા અને તેઓએ બહારથી રાજકીય દ્રોહ કર્યો હતો.
ગોપાલ ઈટાલિયાને કારણે વિસાવદરમાં ધારાસભ્યની ટિકિટ પણ અનિચ્છિત રીતે ફાળવાઈ હોવાનું હિતેશનો દાવો છે. તેઓ એ પણ કહે છે કે ગોપાલનો વિસાવદર સાથે કોઈ નાતો નથી, તેમણે અહીં ક્યારેય કોઈ કાર્ય કર્યું નથી અને તેમણે અહીં કોઈ સર્વેમાં પણ નામ ન હતું.
હિતેશ વઘાસિયાએ કહ્યું કે આ આખી પરિસ્થિતિમાં તેમને સતત અવગણના ભોગવી પડી, જેના કારણે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. હિતેશની વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભાગ લેવાની જાહેરાતથી ‘આપ’માં ગેરસમજ અને વિભાજન વધી શકે તેવી શક્યતા જણાય છે.