1 ફેબ્રુઆરીના રોજ (શનિવારે) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યુ હતુ. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યુ હતુ. CM વિજય રૂપાણીએ બજેટ 2020ને જનજનનું બજેટ ગણાવ્યુ છે. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક પ્રકારના લોકોને આવરી લઇને જનહિતાયનું આ બજેટ છે. તેથી વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
, દરેક સમાજને આવરી લેવાયો છે તેથી બજેટ સર્વગ્રાહી છે. આ બજેટથી ગુજરાતને ખુબ લાભ થયો છે. ગિફ્ટ સીટીને બુલિયન એક્સચેન્જનો દરજ્જો આપીને સમગ્ર દુનિયામાં એક ચર્ચા અને દુનિયાભરનો ધંધો વિકસાવવામાં આવશે. તેથી મોદી સરકારનો આભાર માનું છું.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની ઐતિહાસિક વિરાસતો, આર્કિયોલોજીકલી સાઇટને રિડેવલોપમેન્ટ કરવા માટે ધોળાવિરાને જે પસંદ કરવામાં આવ્યું છે. જેથી તેનો વિકાસ આવનારા દિવસોમાં થશે. લોથલમાં મેરિટાઇમ મ્યૂઝિયમની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ગ્રીડનો વ્યાપ 27 હજાર કીમી કરવામાં આવશે તેનાથી પણ ગુજરાતને લાભ થશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને ઝડપથી પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે. આ બજેટમાં નાના મધ્યમ વર્ગના ઈનકમ ટેક્સમાં જે છૂટછાટ આપવામાં આવ્યુ છે તેનાથી સામાન્ય માણસોને લાભ થશે.
વિજય રૂપાણીએ જણાવ્યુ કે, આ બજેટમાં ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે જુદી જુદી 16થી 17 યોજનાઓની જાહેરાત કરી છે અને ખેડૂતોની આવક બમણી કેમ થાય તેના પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ બજેટ દ્વારા ખેડૂતોને ખૂબ લાભ થશે.
5 ડોલર ટ્રિલિયન ઈકોનોમી પર બોલતા રૂપાણીએ જણાવ્યુ કે, આ બજેટ 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીની દિશામાં આગળ વધે તે રીતે બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઈરિગેશન ખાસ કરીને વનવાસી લોકો, પીડિત લોકો શોષિત લોકો, ગરીબ લોકો માટે પણ આ બજેટમાં વિચાર થયો છે. આ બજેટમાં ગરીબથી લઈને ઉદ્યોગો સુધી આ બજેટમાં રિફ્લેકશન આપવામાં આવ્યુ છે. આ આખુ બજેટ સર્વગ્રહી, લોક ઉપયોગી, ગરીબથી માંડીને ખેડૂતથી લઈને અને સામાજિક તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યુ છે.
જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં પોતાના 160 મિનિટ લાંબા ભાષણમાં બજેટ 2020 રજૂ કર્યુ હતુ. જે બાદ પક્ષ અને વિપક્ષના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીએ તેને ખોખલું ગણાવ્યુ છે. તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટને ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના લોકો માટે કલ્યાણકારી બતાવ્યુ છે. સાથે જ તેમણે PM મોદીએ નાણામંત્રીને તેના માટે શુભેચ્છા પાઠવી છે.