જીટીયુએ ૨૫મી જૂનથી ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. પરંતુ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કેવી રીતે આવી શકશે ? તે વિશે કોઈએ વિચાર્યું નથી. શ્રમિકોની સાથે સાથે પરપ્રાંતના વિદ્યાર્થીઓ પણ તેમના વતનમાં પહોંચી ગયા છે અને તેમને મેસેજ મળ્યો કે ૨૫મી જૂનથી પરીક્ષા છે
હાલમાં તમામ વાહન વ્યવહાર બંધ છે ત્યારે વિદ્યાર્થી પાછો સુરત કેવી રીતે આવશે ? ધારો કે કોઈ રીતે વિદ્યાર્થી સુરત આવી ગયો તો તે રહેશે ક્યાં ? તેને કોણ પીજી તરીકે રહેવા મંજૂરી આપશે ? રેસ્ટોરન્ટ બંધ, ટિફિન સેવા બંધ છે ત્યારે તે જમશે ક્યાં ? એએમટીએસ, બીઆરટીએસ બંધ છે ત્યારે વિદ્યાર્થી પરીક્ષા આપવા કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચશે ? આ પ્રશ્નોના કોઈ જવાબ વાલીઓને મળતા નથીજ
શિક્ષણ વિભાગને જીઆર બહાર પાડવામાં વિલંબ એટલે થયો કે તમામ કુલપતિઓના જુદા જુદા અભિપ્રાય આવતા હતા. કોઈ કહે મોબાઈલથી પરીક્ષા લો, જે વિદ્યાર્થીને બેકલોગ છે તેને કેરી ફોરવર્ડ કરવાનું પણ સૂચન થયું હતું. કોઈએ ત્રણ શિફ્ટમાં પરીક્ષા લેવા સૂચન કર્યું હતું. જો કે પરીક્ષા તો લેવી જ જોઈએ તેવો બધાનો મત હતો. ખાનગી યુનિવર્સિટીઓએ પ્રો-રેટા મુજબ વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં પ્રમોટ કર્યાની પણ ચર્ચા છે.