ગુજરાત કેડરના 1988 મહિલા IAS એસ અપર્ણા ને વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ પરથી પરત આવતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સચિવ તરીકે નિમણૂંક આપી છે.
ગુજરાત કેડરના 1988 બેચના મહિલા IASને કેન્દ્રમાં મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી પદે નિમણૂંક આપવામાં આવી છે. એસ અપર્ણા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS અધિકારી છે. તેઓ વર્લ્ડ બેંક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ગયા તે પહેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મધ્યપ્રદેશના ગવર્નરના અગ્ર સચિવ હતાં. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી ગયા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમના પણ અગ્ર સચિવ હતાં. તેમનો વર્લ્ડ બેંકનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ કેમ્પમાં પરત આવી ગયા છે અને તેમણે મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિમણૂંક આપી છે. મિનિસ્ટ્રી ઑફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરીના તેમને કેમિકલ અને ફર્ટિલાઇઝરના સચિવ તરીકે કામગીરી કરશે.