Gujarat Valsad દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 4 બેઠક ઉપર 46 દાવેદારો ભાજપમાં છે. તેઓ ચૂંટણી લડવા માંગતા હતા. પણ 42 મહત્વકાંક્ષી નેતાઓને ચૂંટણી યુદ્ધથી દૂર રખાયા છે. ભાજપ માટે વલસાડ અને બારડોલી બેઠક આંતરિક ઉન્માદ ભરેલો છે. નવસારીમાં ચંદ્રકાંત પાટીલ સામે કોઈને ઉમેદવાર તરીકે ઊભા રહેવા દેવામાં આવ્યા ન હતા. તેઓ વૃદ્ધ થઈ ગયા હોવા છતાં યુવાનોને રાજકારણમાં આવવા દેવા માંગતા ન હોય તેમ બીજા કોઈ દાવેદાર ન હતા.
વલસાડ – 15
બારડોલી – 15
નવસારી – 01
સુરત – 15
લોકસભાની 26 બેઠકો પર ભાજપના 443 દાવેદાર, 10 બેઠક પર ખટપટ છે. જેમાં વલસાડ એક છે. કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હોય એવા 26 લોકસભાની બેઠક ઉપર 443 દાવેદારો નોંધાયા છે. જેમાંથી 104 દાવેદારોને ઉમેદવાર બનાવવા પેનલમાં નામો મોકલાયા હતા. જેમાં ઘણા ઉમેદવારો તો એવા છે કે તે તેના પક્ષના સત્તાવાર ઉમેદવારને નડે તેમ છે.
10 બેઠક પર આંતરિક વિખવાદો
રાજ્યંમાં દાહોદ, ભરૂચ, જામનગર, વડોદરા, વલસાડ, આણંદ, પાટણ, બારડોલી, રાજકોટ, પોરબંદર બેઠકો પર ઉમેદવારોમાં આંતરીક ટખા છે. તેઓ જાહેરમાં કે ખાનગીમાં સત્તાવાર ઉમેદવારને પછાડવા રાજકીય કાવાદાવા કરી શકે છે. પ્રદેશ સંસદીય બોર્ડમાં પ્રથમ વખત સાંસદ-ધારાસભ્યોને બાકાત રખાયા હતા. સંસદીય બોર્ડમાં શહેર-જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ પ્રભારી હતા. તેથી ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઘણી બેઠકો પર નારાજ હતા.
સુરત
સુરતની બેઠક પરથી 15 લોકોએ ચૂંટણી લડવા નામ નોંધાવ્યું હતું. સુરતની બેઠક ઉપર હાલના સાંસદ અને કેન્દ્રીય રેલ-કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશની આ ત્રીજી ટર્મ છે. પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ અને રણજીત ગિલિટવાલા, બે વખતના કોર્પોરેટર, પૂર્વ શહેર પ્રમુખ નિતીન ભજીયાવાળા, નીરંજન જાંજમેના, પૂર્વ સ્થાયી અધ્યક્ષ અને શહેર મહામંત્રી મુકેશ દલાલ અને પૂર્વ હેમાલી બોઘાવાલાએ દાવેદારી કરી છે. સુમપાની સ્થાઈ સમિતિના પૂર્વ અધ્યક્ષ મુકેશ દલાલ, પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા, અજય ચોકસી હતા.
નવસારી
નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ એક માત્ર દાવેદાર હતા. નવસારી બેઠક પરથી માત્ર પાટીલના નામનો જ પ્રસ્તાવ મૂકાયો છે. પાટીલ છેલ્લી ચૂંટણીમાં દેશમાં સૌથી મોટી લીડથી જીત્યા હતા.
વલસાડ
15 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. વલસાડ જિલ્લામાંથી 12 અને ડાંગ જિલ્લામાંથી 2 દાવેદારો હતા. ત્રણેક ધારાસભ્યો પણ છે.
વર્તમાન સાંસદ ડો.કે.સી.પટેલ, ડો.ડી.સી.પટેલ, ડોક્ટર હેમંત પટેલ, માધુ રાઉત, ઠાકોર પટેલ, શંકર વારલી, યોગેશ પટેલ, ડો. પંકજ પટેલ, ચુનીલાલ પટેલ, મણીલાલ ગાવિત, ગણેશ બિરારી, માજી સૈનિક ખુશાલ વાઢુ, મહેન્દ્ર ચૌધરી, બાબુ વરઠા, પ્રવિણ પટેલ, ડો.હેમંત પટેલની દાવેદારી હતી. રાજ્યસભામાં પૂર્વ દંડક અને વર્તમાન સાંસદના વહુ ઉષા પટેલ, ડોક્ટર લોચન શાસ્ત્રી, પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, ડૉ.ઉષા પટેલ, ગણેશ બિહારી દાવેદાર હતા. નાણામંત્રી કનુ દેસાઈના ખાસ ગણવામાં આવતા અને જેમના પિતા બે ટર્મ ભાજપના પૂર્વ સાંસદ સ્વ. મણી ચૌધરીના પુત્ર મહેન્દ્ર ચૌધરીનું નામ રહ્યું હતું.
74 વર્ષના સાંસદ ડો. કે.સી પટેલને દિલ્હીની હનીટ્રેપ નડી શકે તેમ છે. તેમના ભાઈ ડો. ડી.સી.પટેલ નારાજ છે.
કુકણા સમાજ અને ધોડિયા પટેલ સમાજ મજબૂત છે. અત્યાર સુધીનો ઇતિહાસ છે કે વલસાડમાં ઉમેદવાર ધોડિયા પટેલનો જ નક્કી થાય છે. 3,15,000 મત ધોડિયા પટેલ સમાજના છે. જેમાં ધારાસભ્ય અરવિંદ પટેલ ધોડિયા સમાજમાંથી આવે છે.
રમણ પાટકરે દાવેદારી કરી ન હતી.
ગરમાગરમી
ભાજપના નિરીક્ષકો સમક્ષ સરદાર ભિલાડવાલા બેંકના અધ્યક્ષ શરદ દેસાઈ અને એમડી કમલેશ પટેલને જવા દેવામાં આવ્યા ન હતા. પારડી શહેર પ્રમુખ રાજેશ પટેલ દ્વારા બંનેને અટકાવાતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ભાજપ કોઈના બાપની પેઢી નથી તેમ જણાવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પછી જવા દીધા હતા.
હોબાળો
પારડી વિધાનસભા મતક્ષેત્રમાં અમુક હોદ્દેદારોના અપેક્ષિત સભ્યોની યાદીમાં નામ નહીં હોવાથી સ્થળ પર હોબાળો મચ્યો હતો.
બારડોલી – 15
બારડોલી બેઠક પર 2019માં 12 દાવેદારો હતા. આ વખતે 15 દાવેદારો હતા.
પ્રભુ વસાવાની ઉમેદવારીથી ભાજપના જ અનેક નેતાઓ નારાજ છે. બે ટર્મ દરમિયાન તેઓ માંડવીની બહાર નીકળી જ શક્યા નથી. તેમની કામ કરવાની પદ્ધતિને લઇને પણ લોકોમાં ખાસ્સી નારાજગી છે. પ્રજાના કામ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે.
રાજ્યમાં દાવેદારો
દાવેદારની સંખ્યા – 443
ગાંધીનગર – 01
નવસારી – 01
જામનગર – 03
ખેડા – 12
જૂનાગઢ – 09
પાટણ – 11
સુરત – 15
અમદાવાદ પશ્ચિમ – 20
અમદાવાદ પૂર્વ – 20
સુરેન્દ્રનગર – 11
ભાવનગર – 21
વલસાડ – 15
દાહોદ – 13
અમરેલી – 22
રાજકોટ – 13
ભરૂચ – 12
બનાસકાંઠા – 31
બારડોલી – 15
આણંદ – 22
પોરબંદર – 15
વડોદરા – 18
પંચમહાલ – 30
સાબરકાંઠા – 34
છોટા ઉદેપુર – 27
મહેસાણા – 34
કચ્છ – 18
કૂલ દાવેદાર – 443