ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ગિરીશ સિંગલે નિવૃત્તિના બે વર્ષ અગાઉ જ રાજીનામું આપ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિરિશ સિંઘલ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અગાઉ જેલવાસ પણ ભોગવીચૂક્યા છે.
ત્યારબાદ તેમને ફરી વખત પોસ્ટિંગ મળ્યું અને છેલ્લા 7 વર્ષથી તેઓ પોલીસ એકેડેમીના કમાન્ડો સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.
મહત્વનું છે કે ડીવાયએસપી તરીકે ભરતી થયેલા ગિરીશ સિંઘલનું 2006માં આઈપીએસ તરીકે તેમનું નોમિનેશન થયું હતું.
7 વર્ષથી તેઓ પોલીસ એકેડેમીમાં કમાન્ડો સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે અને નિવૃત્તિના બે વર્ષ પહેલાં જ સિંઘલે 3 મહિના પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ છે,જે 3 મહિનાની મુદત 3 ઓગસ્ટે પૂરી થઈ રહી છે.
જોકે આ અગાઉ પણ 2 આઈપીએસ અધિકારી રાહુલ શર્મા અને રજનીશ રાયે નિવૃત્તિ પહેલા રાજીનામુ આપી ચુક્યા છે.