ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ભરતભાઈ કોટીલા અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.
ગુજરાતમાં જે બદલાવ આવી રહ્યો છે, તેમાં ભાગીદાર બનવા માટે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર લોકો જનતાની સેવા કરવા માટે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
અરવિંદ કેજરીવાલજીએ જે રીતે દિલ્હીની કાયાપલટ કરી, તેવી જ રીતે ગુજરાતની પણ કાયાપલટ કરવામાં આવશે: આપ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા અને ગેરંટીઓને ગુજરાતના ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે: આપ
અમદાવાદ/ગુજરાત
આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા અને ગેરંટીઓને ગુજરાતના ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. ગુજરાતના લોકો પણ આમ આદમી પાર્ટીને હૃદય પૂર્વક અપનાવી રહ્યા છે. અને આ જ કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની ઊંઘ હરામ થઈ ગઈ છે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ મળીને ગુજરાતના લોકોને લૂંટી રહ્યા છે અને એ વાત આજે આખા ગુજરાતના લોકોએ સ્વીકારી લીધી છે. એ કારણે જ ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર લોકો અને સાચા હૃદયથી જનતાની સેવા કરવા માટે તત્પર હોય એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે ગુજરાતના તમામ વર્ગના અને તમામ જાતિ-ધર્મના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ ઈમાનદાર લોકોની યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ભાવનગરના જાણીતા કોંગ્રેસી નેતા ભરતભાઈ કોટીલા અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલજીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને ભરતભાઈ કોટીલા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ તથા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા હાજર હતા. આ તમામ નેતાઓએ ભરતભાઈ કોટીલાને હૃદય પૂર્વક આવકાર્યા અને આમ આદમી પાર્ટીમાં સામેલ થવા બદલ અભિનંદન આપ્યા.
ભરતભાઈ કોટીલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના પ્રદેશ કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ કોંગ્રેસમાં પ્રદેશ મંત્રી અને પ્રદેશ પ્રતિનિધિ તરીકે પણ ભૂતકાળમાં ફરજ નિભાવી ચૂક્યા છે. ભરતભાઈ ભાવનગર નાગરિક બેંક અને ભાવનગર વર્ધમાન બેન્કના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં રહીને જનતાની સેવા શક્ય ન હતી તે માટે તેઓએ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું.
ભરતભાઈ કોટીલાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં એક મોટા બદલાવની જરૂરત છે અને આ બદલાવ માટે ફક્ત આમ આદમી પાર્ટી જ કામ કરી રહી છે. અને આ બદલાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમણે હંમેશા જનતાના હિતોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઐતિહાસિક કામો કર્યા છે. મને પૂરી આશા છે કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીની કાયાપલટ કરી દીધી છે, તે જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતની પણ કાયાપલટ થઈ કરી દેશે. આવનારી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. આજે ગુજરાતની જનતા ભાજપની અસલિયત જાણી ગઈ છે, એટલા માટે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે.