વડા પ્રધાનના કાર્યાલયના પબ્લિક રિલેશન્સ ઑફિસર અને ગુજરાતના ભૂતપૂર્વ વરિષ્ઠ પત્રકાર જગદીશ ઠક્કરનું સોમવારે સવારે નિધન થયું હતું. 72 વર્ષીય જગદીશ ઠક્કર, 72 પાછલા કેટલાક સમયથી માંદગીવશ હતા. તેમને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર આપવામાં આવી રહી હતી.
Several journalists would have regularly interacted with Jagdishbhai over the years. He had previously served with many Chief Ministers of Gujarat. We have lost a wonderful person, who loved his work and did it with utmost diligence. Condolences to his family and well wishers.
— Narendra Modi (@narendramodi) December 10, 2018
વડાપ્રધાન મોદી સાથે તેમણે 17 વર્ષ કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટવિટ કરી કહ્યું કે પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરના નિધનથી અત્યંત દુખી છું. જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે વર્ષો સુધી કામ કર્યું. ગુજરાત અને દિલ્હી સુધી તેમની સાથે કામ કરવાનો અનુભવ આનંદદાયક હતો. તેઓ પોતાની સાદગી અને જોશભર્યા સ્વભાવ માટે જાણીતા હતા.
Extremely saddened by the demise of Shri Jagdish Thakkar, the PRO in the PMO. Jagdishbhai was a veteran journalist and I had the pleasure of working with him for years, both in Gujarat and in Delhi. He was known for his simplicity and warm-hearted nature.
— Narendra Modi (@narendramodi) December 10, 2018
વડાપ્રધાને વધુમાં કહ્યું કે ઘણા બધા પત્રકારો જગદીશભાઈ સાથે વર્ષોથી સતત સંપર્કમાં રહ્યા હશે. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું. તેઓ એક અદ્દભૂત વ્યક્તિ હતા. તેમને માત્ર પોતાના કામથી જ પ્રેમ હતો, તેમણે સતત પરિશ્રમ કર્યો. તેમના પરિવાર અને શૂભચિંતકો પ્રત્યે મારી સંવેદના પ્રક્ટ કરું છું.
1986થી લઈને 2018 સુધી એટલે નિધન પર્યંત જગદીશ ઠક્કરે કામ કર્યું. વ્યાધિગ્રસ્ત બન્યા તેઓ સ્વાસ્થ્યના કારણે વર્ક કરી શક્યા નહીં. 1986થી તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રીની ઓફીસના પીઆરઓ તરીકે ફરજ બજાવી અને જ્યારે 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તો તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે 2014માં મોદી વડાપ્રધાન બન્યા તો તેમને સાથે દિલ્હી બોલાવી લીધા અને પીએમઓના પીઆરઓ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી. વડાપ્રધાન મોદી અને તેમની ઘનિષ્ઠતાનો અંદાજો આના પરથી આવે છે કે જ્યારે 2004માં જગદીશ ઠક્કર નિવૃત્ત થયા તો નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળની મુદ્દત વધારી દીધી હતી. ત્યાર બાદ તેઓ સતત કાર્યશીલ રહ્યા હતા.