સરકાર દ્વારા નાગરીકતા કાયદામાં સુધારા-વધારા કરાયા બાદ સમગ્ર દેશભરમાં હિંસા શરૂ થઈ ચુકી છે. આ સુધારા સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાની બે હિન્દુઓ સહિત 18 વ્યક્તિઓએ અને 3 દેશના 16 લોકોએ જામનગરની નાગરીકતા મેળવવા માટે અરજી કરી છે.
ભારત દેશમાંથી જ અલગ પડેલા પાકિસ્તાન ભૌગોલીક દ્રષ્ટીએ જોડાયેલું છે. ત્યારે ગુજરાતમાં પણ સામાજીક પ્રસંગ હોય ત્યારે અવર-જવર કરતા હોય છે અને કેટલાક અહીં આવ્યા પછી રોકાઈ જાય છે, ત્યારે ભારતનું નાગરિકતા મેળવવા માટે પાકિસ્તાન, કેન્યા ટાન્ઝાનીયા અને યુગાન્ડાના 34 નાગરિકોએ જામનગર કલેકટર કચેરીમાં અરજી કરી છે. ત્યારે ગુજરાતમાં અનેક લોકો રહે છે અને ભારતનું નાગરિકતા મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં 4 દેશોના 34 અરજીઓ થઈ છે. જેમાં પાકિસ્તાનના 18 જેટલા નાગરિકોએ જામનગર કલેકટર કચેરીમાં અરજી કરી છે. જેમાં હિન્દુઓમાં નાગનબાઈ હમીરભાઈ શ્રાીમાળી અને આરાધના રામાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દેશોના બારોટ જતીનકુમાર, નટવરલાલ ત્રિવેદી, અમિત નિતીન જોષી, રાજુલા શાહ, આયુષી શાહ, વેદાંત રાઠોડ અને અંશ મારૂનો સમાવેશ થાય છે.