જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં નેતાઓની અવરજવર પણ વધી જાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 28મી ફેબ્રુઆરીનાં રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. જામનગર જીલ્લામાં જોડીયા નજીક દરિયાના પાણીને પીવા લાયક મીઠુ પાણી બનાવવાના દેશના બીજા નંબરના મોટા ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેનાં કારણે વહિવટી તંત્રમાં કામગીરીનો ધમધમાટ ચાલુ થઇ ગયો છે.
થોડા સમય પહેલા રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના કરોડો રૂપિયાના વિશાળ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો એક કંપની સાથે સમજુતી કરાર કર્યા બાદ કાયમી પાણીની અછત ધરાવતાં અને નર્મદાના તેમજ સૌની યોજના પર હવે નભવા લાગેલા જામનગર જીલ્લામાં દૈનિક પીવા લાયક ૧૦૦ એમ.એલ.ડી. પાણી જીલ્લાને મળી રહે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે. જે માટે વિશાળ પ્લાન્ટ રૂા.૪૦૦ કરોડના ખર્ચે નંખાશે.
થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં દરિયાનાં પાણીને પીવાલાયક બનાવવાનાં કરોડો રૂપિયાનાં વિશાળ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો સમજૂતી કરાર કર્યો હતો. જે બાદ જામનગર જિલ્લામાં દૈનિક પીવા લાયક 100 એમ.એલ.ડી પાણી જીલ્લાને મળી રહે તેવી વ્યવસ્થા થઇ શકે છે. જે માટેનો પ્લાન્ટ રૂ. 400 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે.
આ પ્લાન્ટનું ખાતમુર્હુત તા.28મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સાથે સાથે જામનગર મહાનગરપાલિકાની તૈયાર બે આવાસ યોજના સહિતના પ્રોજેકટનું પણ લોકાર્પણ થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આ અંગે સતાવાર જાહેરાત થઈ નથી. આ કાર્યક્રમ નિશ્ચિત હોવાનું પાર્ટીના સુત્રો જણાવી રહ્યાં છે. મહત્વનું છે કે, દેશમાં તામિલનાડુ બાદ વિશાળ દરીયાકાંઠો ધરાવતાં ગુજરાતમાં આ સૌથી મોટો ડીસેલીનેશન પ્લાન્ટ બનવાની દીશામાં પ્રક્રિયાઓ વેગવંતીઓ બની છે.