ભાનુશાળી હત્યા કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે, જેમાં બે આરોપીઓની સાપુતારાથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. જેના સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે મુખ્ય આરોપી ભાજપના જ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીને પકડવામાં રાજયની ત્રણ મોટી એજન્સીઓ એટીએસ ક્રાઇમબ્રાંચ અને સીઆઇડી ક્રાઇમ નિષ્ફળ નિવડી છે.
CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આ માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
ભાજપના ટોચના નેતા જયંતી ભાનુશાળીની ભુજથી અમદાવાદ આવતાં હતા ત્યારે રાત્રે ચાલુ ટ્રેનમાં તેમની પર ફાયરિગ કરીને હત્યા કરવામા આવી હતી.ચકચાર બનેલા આ કેસમાં પોલીસે અગાઉ નિતીન અને રાહુલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજકીય પ્રેશરમાં કામ કરી રહેલી પોલીસની જાબાંજ એજન્સીઓએ ભાજપના નેતા છબીલ પટેલ અને મનિષાની ધરપકડ કરી શકી નથી. બે શાર્પશુટર શશિકાન્ત કામ્બલે અને અશરફ શેખની પોલીસે ધરપકડ કરી છે. જો કે પોલીસ આરોપીઓની ધરપકડ કરી તે બાબતને પુષ્ટી આપતી નથી.