31 ઓક્ટોબર ના દિવસે પીએમ મોદી કેવડિયા ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વિવિધ આદિવાસી સંગઠનો વિરોધ પ્રદર્શન કરવાના મૂડ માં છે તેવે સમયે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને 31 મી ઓક્ટોબર ના દિવસે જાહેર જનતા માટે અહીં પાબંધી ફરમાવી દેવામાં આવી છે અત્રે નોંધનીય છે કે 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી અહીં મુલાકાત લઈ રહ્યા છે તેઓ ના કાર્યક્રમને પગલે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે 7.30 કલાકે કેવડિયા સ્થિત હેલિપેડ ખાતે આવી પહોંચશે ત્યારબાદ 8:15 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું ચરણ પૂજન કરશે. ત્યારબાદ 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો અને પ્રદર્શનને ખુલ્લું મૂકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને અને લોકોને સંબોધન કરશે 9:45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે અને વિવધ પ્રકલ્પોની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન મોદીજી સાંજે 5 વાગ્યા સુધી કેવડિયામાં રોકાણ કરશે
હાલ માં ગુજરાત માં વરસાદી માહોલ હોવાથી વરસાદી વિઘ્ન નડે નહિ તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને કાર્યક્રમ રાબેતા મુજબ ચાલતો રહે તે બાબત નું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બીજી તરફ આદિવાસી સમૂહ ના વિરોધ ને લઈ કોઈ અવરોધ ન પહોંચે તેની પણ કાળજી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.