આજે જસદણમાં યોજાનારી ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે હવે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ આઠ ઉમેદવારોનું ભાવી આજે મતદાન પેટીમાં સિલ થશે. પરંતું આ તમામ વચ્ચે મુખ્ય લડાઈ ગુરુ અને ચેલા વચ્ચે છે. ભાજપના અયાતી ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પક્ષપલટા બાદ જીતવું મહત્વનું બની ગયું છે.
આજે કુંવરજી માટે આ જંગની જીત ખુબ મહત્વની બની ગઈ છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યો છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા અને જીતતા હતા. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યા હતા. મતદાન રહેલા કુંવરજી બાવળીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે ‘જસદણના મતદાતાઓ પ્રથમ વખત કેબિનેટ મંત્રીને મતદાન કરશે’.