અમરેલીના ધારીમાં સિંહ પાંજરે પૂરાયો છે. ખેતમજૂર પર હુમલો કરનાર સિંહ પાંજરે પૂરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધારી ગીરનાં ડાભાળી જીરા વિસ્તારમાં આ સિંહે ખેત મજૂરને ફાડી ખાધાનાં સમાચાર મળાની સાથે આખા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારે મજૂર કુદરતી હાજતે ગયો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. અને તે દરમિયાન આ માનવભક્ષિ સિંહે તેના પર હુમલો કર્યો હતો. ખેતરમાંથી ખેત મજૂરનાં કપડા અને જમીન પર લોહીનાં નિશાન મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. ત્યાં જ ખેતરમાં થોડે દૂર મજૂરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
અમરેલીના ધારી પંથકમાં સિંહ હુમાલાની ઘટના સામે આવતા ખેડૂતો ભયભીત થઇ ગયા હતા અને તાબડતોડ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. જે ખેત મજૂર પર હુમલો થયો અને તે મજૂર સ્થાનિકો ગ્રામવાસીઓનાં કહેવા પ્રમાણે મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તે અહીં મજૂરીકામ અર્થે આવ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, જે મજૂર પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેનો મૃતદેહ ખેતરથી થોડે દૂર મળી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સિંહે મજૂરને ઇજા પહોંચાડીને દૂર સુધી ઢસડી ગયો હોઇ શકે છે.
ધારીમાં બનેલી આ ઘટનાનાં રગલે સ્થાનિક ધારાસભ્યએ ઘટનાની માહિતી લીધી હતી. ધારાસભ્ય જે વી કાકડીયા ઘટના સ્થળે પહોંચીને વન વિભાગ સાથે ચર્ચા કરી હતી. જે મજૂરનું મોત નિપજ્યું તેનું નામ કાળુભાઇ મોતીભાઈ બીલવાર (ઉ.વ 55) જણાવવામાં આવી રહ્યું છે. આ ખેત મજૂર પોપટભાઈ બાંમ્ભરોલા ની વાડી એ ભાગ્યું રાખી ખેતી કરતો હતો.