લોક-જંગ :લોકસભાની ચૂંટણી આવી છે. સાથે ભારતને દેવાદાર બનાવવાની ક્ષણતા પણ લાવી રહી છે. આપણને દરેકને દેવાદાર બનાવીને દેશને દેવામાં ડૂબાડીને લોકસભાની ચૂંટણી આવી છે.
નરેન્દ્ર મોદીએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે તેમના પહેલા દેશના 14 વડાપ્રધાનો કરી શક્યા નથી. 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં માત્ર 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. હંમેશા રેસમાં આગળ રહેવા માંગતા નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતનું દેવું સાડા ત્ર્રણ ગણું વધાર્યું. તેણે માત્ર નવ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. 2024 સુધીમાં મોદીની લોન 115 લાખ કરોડ થઈ જશે.
માથાદીઠ દેવું
ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર રૂ.60,428નું દેવું હાલ છે. તેમાં જો મોદી સરકારનું દેવું ઉમેરવામાં આવે તો દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી ગુજરાતના દરેક વ્યક્તિ પર રૂ.1 લાખ 60 હજારનું દેવું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું દેવું ઉમેરવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક પર રૂ. 2 લાખનું દેવું છે. ભલે તમે એવું માનતા હો કે લોકસભાની ચૂંટણી આવે છે તેથી આપણે સમૃદ્ધ થયા છીએ, પણ વાસ્તવીકતા એ છે કે મોદી અને ભગવા ભાજપની સરકારોએ લોકોને દેવાદાર બનાવી દીધા છે. પોતે તો દેવાદાર સરકારો બનાવી છે પણ લોકોને પણ દેવાદાર બનાવ્યા છે.
દેવામાં વધારો
દર પાંચ વર્ષે મોદી સરકારના દેવામાં લગભગ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. અર્થતંત્રમાં ઉત્પાદન ન વધે, રોજગારી ન વધે અને આપણા દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા ઓછી ન થાય, તો તમારે લોન લેવી પડશે. આ સરકાર દેવા પર ચાલી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
2022-23 માટે ફિસ્કલ ડેફિસીટ જીડીપીના 6.4 ટકા જેટલી રહેશે. સરકારની જાવક અને આવક વચ્ચે 14 લાખ 95 હજાર કરોડ રૂપિયાની ખાઈ છે. ફિસ્કલ ડેફિસીટ એટલે સરકારની જાવક અને આવક વચ્ચેની ખાઇ છે. ખાઈ સરકાર કેવી રીતે પૂરશે? તેનો જવાબ મળશે કે સરકાર દેવું કરીને આ ખાઈ પૂરે છે. મોદી સરકાર પહેલાં રિઝર્વ બેન્કના માધ્યમથી જ ટ્રેઝરી બોન્ડ વેચતી હતી, પણ હવે મોદીએ પ્રજાને સીધા બોન્ડ વેચવાનું ચાલુ કર્યું છે. પ્રજાને જાણ નથી કે સરકાર જૂના દેવા પરનું વ્યાજ ચૂકવવા નવું દેવું કરે છે. પ્રજાનો જે દિવસે વિશ્વાસ ઊઠી જશે તે દિવસે મોદી સરકાર દેવાળું કાઢશે.
ખર્ચ
2022-23ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકાર કુલ 39 લાખ 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. પણ તેની આવક રૂ.22 લાખ 84 હજાર કરોડ જ હતી. આપણી સરકાર તેવી મૂર્ખાઇ કરી રહી છે, જેની સજા જનતા મોંઘવારીના રૂપમાં ભોગવી રહી છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા બેફામ કરવામાં આવતા ખર્ચાઓ જ છે.
કોઈ પણ વ્યક્તિ કે કંપની આવકના પ્રમાણમાં આટલો વધુ ખર્ચો કરે તો તેને દેવાળું કાઢવાનો વખત આવે.
લોન
ભારત સરકારને લોકો તેને જેટલા જોઇએ તેટલા રૂપિયા ઉધાર આપવા તૈયાર છે.
દેશ દેવાળાં તરફ ધસમસી રહ્યો છે. 6 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સની આવક, 6 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ, 6.4 લાખ કરોડ રૂપિયા જીએસટી, 2 લાખ કરોડ રૂપિયા કસ્ટમ ડ્યૂટી અને 2.8 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટીની આવક છે. તેની સામે મોદી સરકાર દ્વારા 35 ટકા અથવા કુલ રૂ.15 લાખ કરોડ ઉધાર લેવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ અને જીએસટી મળીને જેટલી આવક છે, તેના કરતાં પણ સરકાર વધુ રૂપિયા ઉધાર લે છે.
ખર્ચ
8 ટકા ખર્ચો સંરક્ષણ પાછળ, 8 ટકા સબસિડી પાછળ, 9 ટકા કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત યોજનાઓ પાછળ, 15 ટકા કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓ પાછળ, 10 ટકા નાણાં પંચ પાછળ, 17 ટકા રાજ્યોના હિસ્સા પાછળ અને 9 ટકા અન્ય ખર્ચાઓ હોય છે.
2023-24માં કુલ 27.2 લાખ કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ મૂક્યો છે, જ્યારે 45 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર 15.4 લાખ કરોડ રૂપિયાની લોન લેશે. આ લોન પર વ્યાજ ચૂકવ્યા બાદ સરકારને ખર્ચ કરવા માટે માત્ર 11.8 લાખ કરોડ રૂપિયા જ મળશે.
વ્યાજ
સરકાર દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે, તેનું વ્યાજ ચૂકવવા પાછળ 20 ટકા અથવા તો 8 લાખ રૂપિયા ખર્ચાઇ જાય છે. સરકારની ઇન્કમ ટેક્સની જેટલી આવક છે તેના કરતાં પણ વધુ રકમ વ્યાજ પાછળ ખર્ચાઈ જાય છે. વ્યાજ ચૂકવવા વધુ રૂપિયા ઉધાર લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની જીએસટીની આવક 6.4 લાખ કરોડ રૂપિયા સામે વ્યાજનો ખર્ચો 8 લાખ કરોડ રૂપિયા છે.
પ્રજાની આવક
ભારતનો જીડીપી 234 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. સરકાર પ્રજાના હિસાબે અને જોખમે કેટલી મોટી રમત રમી રહી છે. તેનો ખ્યાલ આવતો નથી.
ફિસ્કલ ડેફિસીટ
3 ટકાના બદલે 2021-22માં તો કોરોનાનું બહાનું આપીને ફિસ્કલ ડેફિસીટ વધારીને જીડીપીના 6.8 ટકા પર પહોંચી ગઇ હતી. હવે કાયદામાં ફેરફાર કરીને 2025-26 સુધીમાં ફિસ્કલ ડેફિસીટ ઘટાડીને 4.5 ટકા પર લાવવાની વાત મોદી સરકાર કરે છે.
રૂપિયા છાપો
સરકારની આવક અને જાવક વચ્ચે જે ખાઈ રહી જાય છે તે સરકાર નોટો છાપીને સરભર કરે છે.
બોન્ડ
પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લઈને પૂરી કરે છે. રોડ બનાવવા માટેના ખર્ચાઓ સરકાર પ્રજા પાસેથી જ રૂપિયા ઉધાર લઈને કરે છે. પ્રજાને ટ્રેઝરી બોન્ડ વેચે છે. જેના પર 7થી 8 ટકા વ્યાજ ચૂકવવું પડતું હોય છે. બોન્ડની પાકતી મુદત 3 વર્ષથી 40 વર્ષ સુધીની છે.
જાહેરાત
બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સરકાર દ્વારા કમાતા દરેક રૂપિયામાંથી હાલમાં મહત્તમ 34 પૈસા લોનમાંથી આવે છે. ડિસેમ્બરના અંતમાં જાહેર કરાયેલા નાણા મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2022ના અંતે સરકારનું કુલ દેવું વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં માહિતી આપી હતી કે સરકારે 27 જાન્યુઆરી 2023 સુધી લગભગ 12.93 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
જીડીપી
જીડીપીમાં વધારો થયો છે કારણ કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓની સંપત્તિનું મૂલ્ય વધ્યું છે અથવા ગરીબી રેખા નીચેની સંપત્તિમાં વધારો થયો છે. સરકાર જીડીપીની વાત કરે છે પરંતુ આ મુદ્દે મૌન છે.
મોદીજીએ ભારતના દરેક વ્યક્તિને દેવાના બોજમાં ડુબાડી દીધા છે.
વિદેશી દેવું
દસ્તાવેજ અનુસાર, 31 માર્ચ, 2014 સુધીમાં, ભારત સરકાર પર 55.87 લાખ કરોડ રૂપિયાની જવાબદારીઓ હતી. તેમાંથી રૂ. 54.04 લાખ કરોડ આંતરિક દેવું હતું અને રૂ. 1.82 લાખ કરોડ વિદેશી દેવું હતું.
2022-23ના અંત સુધીમાં લોનની રકમ 152.61 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમાં, આંતરિક દેવું અંદાજે 148 લાખ કરોડ રૂપિયા છે અને બાહ્ય દેવું લગભગ 5 લાખ કરોડ રૂપિયા છે. હવે, વિદેશી દેવું 7.03 લાખ કરોડ રૂપિયા (જીડીપીના 2.6 ટકા) હોવાનો અંદાજ છે.
વ્યાવસાયિક ઉધાર અને થાપણોને કારણે ભારતનું બાહ્ય દેવું વધીને $558.5 બિલિયન થયું છે. દેશનું કુલ બાહ્ય દેવું માર્ચ 2020 ના અંત સુધીમાં 2.8 ટકા વધીને $558.5 બિલિયન પર પહોંચી ગયું હતું.
ભારતે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી લોન લીધી છે. વિશ્વ બેંકે US $ 750 મિલિયનની લોનની જાહેરાત કરી છે. તે જ સમયે, ભારતમાં શિક્ષણમાં સુધારણા સંબંધિત કાર્યો માટે લગભગ રૂ. 3,700 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.
એ જ રીતે જો આપણે વિદેશી દેવાની વાત કરીએ તો 2014-15માં ભારતનું વિદેશી દેવું 31 લાખ કરોડ રૂપિયા હતું. હવે 2023માં ભારતનું વિદેશી દેવું વધીને 50 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
2005માં દેશનું વિદેશી દેવું 10 લાખ કરોડ રૂપિયા હતું, જે 2013માં વધીને 31 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે 9 વર્ષમાં વિદેશી દેવું 21 લાખ કરોડ રૂપિયા વધ્યું. 2014થી 2022 સુધીમાં વિદેશી દેવું રૂ. 33 લાખ કરોડથી વધીને રૂ. 50 લાખ કરોડ થયું છે, એટલે કે આ 9 વર્ષમાં વિદેશી દેવું રૂ. 19 લાખ કરોડ વધી ગયું છે.
વિદેશને મદદ
માલદીવને $250 મિલિયનની નાણાકીય સહાય પૂરી પાડી છે. ભારતે 2013-14માં વિવિધ દેશોને 11 અબજ ડૉલરની લોન આપી હતી, જે નાણાકીય વર્ષ 2018-19માં વધીને 7267 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે 2019-20માં આ આંકડો વધીને 9069 કરોડ રૂપિયા થઈ ગયો.
મફતનું અનાજ
સરકાર કહે છે કે અમે 60 કરોડ લોકોને મફતમાં ઘઉં-ચોખા, મફત સિલિન્ડર, કિસાન સન્માન નિધિ આપીએ છીએ, તો લોનના પૈસા આ બધી વસ્તુઓ પર ખર્ચવામાં આવે છે. આ ઉપરાંત નવી સંસદના નિર્માણ માટે સરકારી લોનનો પણ ઉપયોગ કર્યો હતો. તેથી ભારત પર કુલ દેવું 155 લાખ કરોડ રૂપિયા છે.
માથા દીઠ દેવું
20 માર્ચ 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદ નાગેશ્વર રાવના એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો કે ભારત સરકાર પર 31 માર્ચ 2023 સુધી 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જે માર્ચ સુધીમાં તે વધીને 172 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. છેલ્લા 9 વર્ષમાં દેશનું દેવું 181% વધ્યું છે.
2014માં દેશની કુલ વસ્તી 130 કરોડ માનવામાં આવે તો તે સમયે દરેક ભારતીય પર સરેરાશ દેવું 42 હજાર રૂપિયા હતું. 2023માં ભારત સરકાર પર કુલ દેવું વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો ભારતની કુલ વસ્તી 140 કરોડ ગણવામાં આવે તો આજે દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે.
ગુજરાતનું દેવું
ગુજરાતમાં 1995 થી 2021 સુધીના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમ્યાન 2.97 લાખ કરોડનું જાહેર દેવું વધી ગયું છે. 1995માં સ્વ છબીલદાસ મહેતા જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમના શાસનમાં 12,999 કરોડ રૂપિયાનું દેવું હતું ત્યારબાદ સ્વ.કેશુભાઈ પટેલના શાસનમાં તે દેવું વધીને 14800 કરોડ હતું.
2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. ત્યારે ગુજરાતનું જાહેર દેવું 42 હજાર 700 કરોડનું હતું. જે 2014માં વધીને 1 લાખ 63 હજાર 451 કરોડ રૂપિયા થયું હતું. નરેન્દ્ર મોદીના શાસનકાળના 14 વર્ષમાં જ રાજયનું જાહેર દેવું 1 લાખ 20 હજાર 751 કરોડ રૂપિયાનું હતું.
આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીના સાત વર્ષના શાસનમાં ગુજરાતનું જાહેર દેવું વધીને 1 લાખ 46 હજાર 403 કરોડ રૂપિયાનું થયું હતું. હવે ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારનું દેવું રૂ. 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. 2023માં ગુજરાતનું દેવું 4.23 લાખ કરોડ પર પહોંચી ગયું છે. જે વર્ષ 2019 માં 2.98 લાખ કરોડ દેવું હતું. એક વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડથી વધ્યું છે. સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ થઈ ગયું છે.
માથાદીઠ દેવું
ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર રૂ.60,428નું દેવું હાલ છે. તેમાં જો મોદી સરકારનું દેવું ઉમેરવામાં આવે તો દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી ગુજરાતના દરેક વ્યક્તિ પર રૂ.1 લાખ 60 હજારનું દેવું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું દેવું ઉમેરવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક પર રૂ. 2 લાખનું દેવું છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube