આજે દિવસભર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ અને પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવા અંગે સોશિયલ મીડિયા અને મીડિયામાં પબ્લીશ થયેલા સમાચારો બાબતે સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની વાતને ફગાવી હતી.
મોહન ડેલકરે ટેલિફોન પર વાત કરતા જણાવ્યું કે રાજીનામાની વાત સંપૂર્ણપણે સત્યથી વેગળી છે અને તેમાં કોઈ દમ નથી. વિરોધીઓ દ્વારા વહેતી કરવામાં આવેલી આ વાત છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ.
પૂર્વ સાંસદે કહ્યું કે દાદરા નગર હવેલી અને દિવ-દમણની સીટ જીતવા માટે કોંગ્રેસ તૈયાર છે અને બન્ને બેઠક પરથી ભાજપને પરાજ્ય આપવા માટે કોંગ્રેસના કાર્યકરો કટિબદ્વ છે. લોકસભાની ચૂંટણીમાં હું પણ ટીકીટ માંગવાનો છું અને પક્ષ આદેશ આપશે તો ઉમેદવારી પણ કરીશ. ભાજપને હરાવવા માટે કોંગ્રેસની પૂરેપૂરી તૈયારી છે.