અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે ગંભીર બનતા તંત્ર સાબદુ થયું છે. કોરોનાએ ફરી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. કોરોનાને વધારે ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવતા મુસાફરો માટે RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. RT PCR ટેસ્ટ નેગેટિવ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. આ નિયમને આવતીકાલથી એટલે પહેલી એપ્રિલથી ફરજિયાત કરી દેવામાં આવશે. જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર તૈયારી કરી દેવામાં આવી છે.
અમદાવાદ આવતા તમામ પ્રવાસીઓએ RTPCRનો રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે એટલે કે ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓએ પોતાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહશે. અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે જ પ્રવાસીઓ પાસે રિપોર્ટ લઈ આવ્યા છે કે નહીં તેનું ચેકીંગ થશે.
તેમજ કોઈ પ્રવાસીઓ RT PCR રિપોર્ટ લીધા વગર આવ્યા છે તો તેને અમદાવાદ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એરપોર્ટની બહાર જવા દેવા માટે મંજૂરી આપવામાં આવશે.
મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના RT PCR ફરજિયાત છે જેને લઈ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના પ્રવાસીઓનું ચેકીંગ થાય છે. તેમજ જે પ્રવાસીઓ RT PCR કરાવીને આવ્યા નથી તેનો ટેસ્ટ કરવામાં આવે છે.
તો આવતીકાલથી તો ગુજરાત આવતા તમામ પ્રવાસીઓને RT PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ટ્રેન, વિમાન, બસ અથવા પ્રાઇવેટ વાહનમાં આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટનો રિપોર્ટ કરાવીને આવવાનું રહશે.
ગુજરાત બહારથી એસટી બસમાં આવતા પ્રવાસીઓ માટે પણ RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને લઈ બોર્ડ પર ચેકીંગ કરવમાં આવશે જેની પાસે RT PCRનો રિપોર્ટ નેગેટિવ હશે તેને એન્ટ્રી આપવામાં આવશે અને નહિ હોય તેનો પહેલા ટેસ્ટ કરવામાં આવશે.