Narayan Sai granted interim bail: હાઈકોર્ટના આદેશથી જામીન મંજૂર
Narayan Sai granted interim bail: નારાયણ સાંઈએ પોતાના પિતા આસારામ સાથે મળવા માટે 5 દિવસના જામીન માગી હતી, જેને કોર્ટએ મંજૂરી આપી છે. તે હાલમાં સુરતના લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હવે તેને પાંચ દિવસ માટે જોધપુર જવાની છૂટ આપવામાં આવી છે, જ્યાં પિતા આસારામ પણ સજા ભોગવી રહ્યા છે.
પોલીસ જાપ્તા સાથે જશે જોધપુર, 5 દિવસ બાદ જેલમાં પરત ફરવું ફરજિયાત
આ જામીન શરતી છે – નારાયણ સાંઈને પોલીસ જાપ્તા સાથે જોધપુર જવાનું રહેશે અને તેણે આખો ખર્ચ પોતે જ ઉઠાવવાનો રહેશે. આ પાંચ દિવસ બાદ તેણે પુનઃ લાજપોર જેલમાં હાજર થવું રહેશે. પોલીસ સુખાકારી અને કાયદાકીય વ્યવસ્થા માટે સંપૂર્ણ દેખરેખ રાખશે.
પિતાને મળવા માટે કરવામાં આવી હતી ખાસ અરજી
85 વર્ષના આસારામની તબિયત સારી ન હોવાના કારણસર હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં તેમને તાત્કાલિક જામીન મળ્યાં હતાં. પિતાની તબિયતની માહિતી મળ્યા બાદ નારાયણ સાંઈએ પણ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, તેઓ પોતાના પિતા સાથે મળી શકે. તે અરજી મંજૂર થઈ અને તેને 5 દિવસ માટે જામીન મળ્યા છે.
બાપ-દિકરો બંને દુષ્કર્મના આરોપમાં દોષિત, અલગ અલગ જેલમાં બંધ
વિશ્વભરમાં ચર્ચિત રહેલા આ કેસમાં વર્ષ 2019માં સુરત સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ, પિતા આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં અવારનવાર તબિયત બગડવાથી હોસ્પિટલમાં દાખલ થયા છે. બંને કેસોએ કાયદાકીય અને સામાજિક સ્તરે ભારે પ્રતિક્રિયા જગાવી છે.