આજથી કેવડિયાખાતે ત્રણ દિવસ ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જોકે DG કોન્ફરન્સ પૂર્વે આજે કેવડીયામાં વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. કેવડિયા ગામને સ્થળાંતરીત કરી વિવિધ રાજ્યોના ભવન બનાવવા સામે વિરોધ ગ્રામજનો તેમજ આદિવાસી સમાજે નોંધાવ્યો હતો. આજથી 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.
કેવડિયા, ગરુડેશ્વર સજ્જડ બંધ રહયા હતા અને સવારથી જ બજારો અને દુકાનો સજ્જડ બંધ રહ્યા હતા. DG કોન્ફરન્સના પગલે આજે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી .આદિવાસીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહીં આપીએ.
આદિવાસીઓના અલગ-અલગ ગામોની જમીન સરકાર દ્વારા રાજ્યોનાં રાજ ભવન બનાવવા માટે સંપાદન કરી લીધી છે. આદિવાસીઓ પાછલા કેટલાક સમયથી રાજ્યોના ભવન નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. DG કોન્ફરન્સનો વિરોધ કરી આદવિસીઓએ પોતની એકતાની તાકાત બતાવી છે. ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનનો પ્રારંભ થયો હોવાનું જણાઈ આવી રહ્યું છે. ભાજપના આદિવાસી નેતાઓ આ મામલે ભારે ચૂપકીદી સેવી રહ્યા છે, જેને લઈને ભાજપના આદિવાસી નેતાઓ વિરુદ્વ પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે.