Natural farming importance Gujarat: ગૌસેવકોનું વિશેષ સન્માન અને પ્રોત્સાહન
Natural farming importance Gujarat: દ્વારકા ના ભથાણ ચોક ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતો અને ગૌશાળા સંચાલકોને માર્ગદર્શન આપ્યું. તેમણે ભારતને ઋષિ અને કૃષિની ધરતી ગણાવી અને ગૌમાતા ને શાસ્ત્રીય દ્રષ્ટિએ ઉચ્ચ સ્થાન આપ્યું. રાજ્યપાલે કહ્યું કે ગૌમાતા નું દૂધ સર્વોત્તમ ગુણધર્મ ધરાવે છે અને વૈજ્ઞાનિકોએ તેને રોગપ્રતિકારક તરીકે માન્યતા આપી છે.
આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના નુકસાન પર પણ ચેતવણી આપી. ડીએપી, યુરિયા અને રાસાયણિક ખાતરનો વધારાનો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે અને જળવાયુ પરિવર્તનનું એક મુખ્ય કારણ છે. તેમણે પ્રાકૃતિક ખેતીને આ પડકારનો શ્રેષ્ઠ ઉકેલ ગણાવ્યો.
આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન’નું પણ મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું. ગૌસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને એમને ખેડૂતો માટે પ્રેરણાસ્રોત ગણાયા. રાજ્યપાલે જણાવ્યું કે ગૌ સંરક્ષણથી ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે.