ગુજરાત (Gujarat) ઉપર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ થઈ રહયો છે.જેના પગલે હવે એનડીઆરએફની 13 ટીમે અને રાજયની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. હજુયે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામા આવી છે. રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની ૧૩ ટીમો તૈનાત તેમજ એનડીઆરએફ, એસડીઆરએફ (NDRF-SDRF)ની અન્ય ૧૩ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા. ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત સહિત રાજયમાં જરૂર પડયે બચાવ રાહકત કામગીરી માટે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજયમાં 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં મહેસાણાના સતલાસણામાં 6.6 ઈંચ , અરવલ્લીના ધનસુરામાં 6.4 ઈંચ , માલપુરમાં 6 ઈંચ , ખાનપુરમાં 6 ઈંચ , ભીલોડામાં 5 ઈંચ , દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ ,શહેરામાં 4 ઈંચ તાપીના ડોલવણમાં 4 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ થયો હતો.જયારે 126 તાલુકાઓ એવા છે કે જેમાં 6થી 1 ઈંચ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમની અસર વધારે જોવા મળી રહી છે.આજે રવિવારે બપોર સુધીમાં ઉત્તર ગુજરાતમાં જ વધારે વરસાદ જોવા મળ્યો હતો. તેમાં પણ કડીમાં 11 ઈંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે.તે પછી બીજી ક્રમે બહુચરાજીમાં 8.5 ઈંચ , પાટણના સરવસ્વતીમાં 7.3 ઈંચ , મહેસાણાના જોટાણામાં 7 ઈંચ , મહેસાણામાં 6 ઈંચ , રાધનપુરમાં 6 ઈંચ , સિદ્ધપુરમાં 5.5 ઈંચ , વિજયનગરમાં 5.5 ઈંચ , પાટણમાં 5 ઈંચ , ગાંધીનગરના માણસામાં 5 ઈંચ , ઊંઝામાં 4.5 ઈંચ , વિરમગામમાં 4.4 ઈંચ , સુરતના ઉમરપાડામાં 4 ઈંચ , બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ અને ભાંભરમાં 4 ઈંચ વરસાદ થયો છે. રાજયમાં 112 તાલુકાઓ એવા છે કે જેમાં 11 થી 1 ઈંચ જેટલો વરસાદ થયો છે.
બનાસકાંઠામાં અમીર ગઢમા ંઆવેલી નદીઓમાં જળ સ્તર વધતાં જિલ્લા કલેકટર દ્વ્રારા ટવીટ્ટ કરવામાં આવ્યું હતુ કે નદીઓમાં જળ સ્તર વધી રહયું એટલે નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક લોકોએ સાવચેત રહેવું.એટલું જ નહીં અહીં પ્રવાસધામમાં આવવાનું ટાળવું.
48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
રાજયમાં હજુયે લો પ્રેશરની સિસ્ટમનિી અસર હેઠલ હજુયે આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર , અમદાવાદ , સાબરકાંઠા , બનાસકાંઠા , પાટણ, મહેસાણા , અરવલ્લી , જામનગર , સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
બેઠક બાદ રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે કહયું હતું કે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત ૧૩ NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની ૧૧ તથા NDRFની ૦૨ ટીમો એમ અન્ય ૧૩ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં તા.૨૪ ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પરિણામે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જારી કરી દેવાઈ છે. એ જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું