રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ માટે નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે. સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે દંડ વસૂલ્યાના થોડા જ દિવસો બાદ રૂપાણી સરકારે મોટર વ્હીકલના નિયમોની ઘોષણા કરી. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુધારા કરી સરકારે તેનો સમાવેશ ફોજદારી ગુનામાં કર્યો છે.
વાહનચાલકો જાણતા-અજાણતા કાયદાનો ભંગ કરી રહ્યાં હોવાની સરકારો લાલ આંખ કરી છે. દિવસેને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે વાહનચાલકોને ટ્રાફિકના કાયદાનો ભય નથી રહ્યો. આવા વાહન ચાલકોને દંડવા સરકાર ઇ-મેમો મોકલી રહી છે ત્યારે તેમણે આનો પણ તોડ શોધી લીધો. આવા વાહન ચાલકોએ નંબર પ્લેટ વાળવાનું શરૂ કરી દીધુ. પરંતુ હવે આ તોડ પણ કામ નહી લાગે કારણ કે તંત્રએ તેના માટે પણ નિયમો કડક બનાવ્યા છે.
જો નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઇ ચેડાં કરેલા હશે તો વાહન ચાલક વિરુદ્ધ IPCની સેક્શન મુજબ ગુનો નોંધાશે. બિનજામીનપાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહી થાય તે માટે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે.
વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે. કાયદો અને વ્યવસ્થા કડક બનાવવા માટે તંત્ર હરકતમાં છે. નાગરિકો કાયદાની મજાક બનાવતા હોય તેમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. વાહનચાલકોને આ નિયમોનું ભાન કરાવવા માટે જ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.