આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે ત્યારે અનલોક 1 અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. હવે માત્ર કન્ટેઈનમેન્ટ વિસ્તારોને બાદ કરતા બાકીનું આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે. બધુ જ શરતો સાથે છે, વિના શરતો કંઈ જ નથી. લોકોમાં ઘરો હતા તો પણ સંક્રમણ હતુ. ત્યારે હવે તો લોકો બહાર આવશે. બધુ ધમધમતુ થશે. ટ્રાફિક થશે. સંક્રમણનું જોખમ વધી જશે. તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનં પાલન વધુ કડકાઈથી કરવુ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે.
Saturday, May 18