કોરોના વાયરસથી બચવા માટે સરકારે દેશભરમાં લોકડાઉન(Lockdown) જાહેર કર્યુ છે અને તેને કારણે બંધ ફેકટરીઓમાં(Factory) જે નુકસાન થયુ હશે તે અંગેનું કલેઇમ મળશે નહીં. જો કે, બેઝીક પોલિસીની અંદર લોસ ઓફ પ્રોફીટ લીધું હોય તો તેના અંતર્ગત ફેકટરીમાં આગને કારણે જે નુકસાન થાય છે તેની સામે કલેઇમ મળી શકે છે.સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯(Covid-19) ના સમયગાળા દરમિયાન ઇન્સ્યુરન્સ ઇશ્યુઝ’વિષય ઉપર ૭૬માં વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વેબિનારને સંબોધતા નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડના ચીફ રિજનલ મેનેજર કે.કે. રૈનાએ જણાવ્યું હતું
એવી રીતે મશીનરી માટેની પોલિસી હોય છે. મશીનરીને ફિઝીકલ ડેમેજ થયું હોય અથવા તો આગને કારણે પ્લાન્ટ બંધ થઇ જાય અને ત્યારબાદ રિકન્સ્ટ્રકટ થતા છ મહિના લાગી જાય ત્યારે આ સમયગાળા દરમિયાન કોઇ સેલ નહીં થાય ત્યારે ગત વર્ષના પ્રોફીટની સાથે કમ્પેર કરીને ફેકટરીના(Factory) માલિકને બિઝનેસ ઇન્ટરેપ્શનનું કલેઇમ મળે છે. સ્ટોકની કિંમત માર્કેટ વેલ્યુ પ્રમાણે ગણવામાં આવે છે. જયારે બિલ્ડીંગ અને મશીનરીની વેલ્યુ અલગ હોય છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કુદરતી આપદા, લોકડાઉન કે સપ્લાય ચેઇનનું ડિસરપ્શન હોય તો આ બાબતો બિઝનેસ ઇન્ટરેપ્શનમાં આવતી નથી. પરંતુ વિશ્વની મોટી કંપનીઓ કે જે વિવિધ દેશોમાં બિઝનેસ કરતી હોય ત્યારે એવી કંપનીઓ સપ્લાય ચેઇન ડિસરપ્શન થાય ત્યારે થતા નુકસાનને પહોંચી વળવા ઇન્સ્યુરન્સ પોલિસીમાં સ્પેશિયલી ડિઝાઇન કવરમાં લેતી હોય છે. જો કે, ઇન્સ્યુરન્સના એસટીએફઆઇમાં સ્ટોમ, ટાયફુન અને સાયકલોન કવર કરવામાં આવે છે.