રાજ્યમાં મેઘરાજા ચાલું વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે જગતનાં તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીનાં વિવિાધ પાકો પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકું, જુવાર, બાજરી અને કપાસ જેવા પાકોમાં જ લશ્કરી ઈયળ આવતી હતી. હવે ઘઉંના પાકમાં પણ આવી ઇયળો દેખાવવા માંડી છે.
ચાલુ વર્ષે ખાબકેલા ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી વરસાદને લઈ જિલ્લાનાં 1 લાખથી વધુ ખેડૂતોને ખરીફ પાકોમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ 8772 હેકટરમાં ઘઉં, 4530 હેકટરમાં મકાઈ અને 3903 હેકટરમાં બટાટા સહિતનાં જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણી હજુ વાવેતરનું પ્રમાણ ઓછું હોવાનું જણાઈ રહયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં એરંડાનાં પાકમાં ગુલાબી ઈયળો આવી છે. ઉપરાથી સારા લાગતા એરંડાને ફોલતા જ અંદરાથી ગુલાબી ઈયળો નિકળી રહી છે. એરંડામાં ઈયળો આવવી સામાન્ય છે. ખાસ કરીને ઘોડિયા, લીલી અને રીંગણામાં આવતી ઈયળો એરંડામાં આવતી હોય છે. પરંતુ આ વખતે નવા પ્રકારની ગુલાબી ઈયળો જોવા મળી છે. જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે.