પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ (CR Patil) દ્વારા હવે રાજય સરકારના 25 કરતાં વધુ બોર્ડ નિગમોમાં ચેરમેન તેમજ ડિરેકટરોની નિમણૂંક માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા આ નિમણૂંકો કરી દેવામાં આવશે. જેના પગલે કાર્યકરોની નારાજગી દૂર કરી શકાશે એટલું જ નહીં સંગઠનમાં પણ નવો જુસ્સો અને જોમ લાવી શકાશે
પાટીલે તાજેતરમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)નો પ્રવાસ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેના પગલે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. જેમાં કાર્યકરોને પણ ઘણાં લાંબા સમયથી સત્તાના ફળ ચાખવા મળ્યાં નથી. તેવી વ્યાપક ફરિયાદ પાટીલને સાંભળવા મળી હતી. આ અંગે પાટીલે મુખ્યમંત્રી (CM Vijay Rupani) તેમજ પાર્ટીના હાઈકમાન્ડ સાથે ચર્ચા પણ કરી લીધી હોવાનું મનાય છે. પાટીલે પોતાના પ્રવચનમાં સતત કહ્યું છે કે પાર્ટીના કાર્યકરોની ફરિયાદોનો ઉકેલ પણ આવશે, તેમજ સંગઠ્ઠનમાં ધરખમ ફેરફાર આવી શકે છે. કોંગ્રેસ છોડીને આવેલા 8 ધારાસભ્યો પૈકી 5 જેટલા ધારાસભ્યોનો પણ સ્થાન આપવામાં આવે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે. જયારે પાર્ટીના વિવિધ સમાજના અગ્રણી એવા કાર્યકરોને પણ સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.