એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન એસ. પી. ગુપ્તા જીવદયાપ્રેમી સંમેલનમાં પ્રમુખ અતિથિ રહેશે.સમસ્ત મહાજન આયોજિત આ ત્રિદિવસીય પ્રસંગે જીવદયા ક્ષેત્રના અનુભવીઓ, મહાનુભાવો ગુજરાત પધારશે. સમસ્ત મહાજનના નેજા હેઠળ બાવીસથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં જીવદયાપ્રેમી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નિવૃત્ત આઈએએસ અધિકારી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી. એસ. પી. ગુપ્તા પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ તેઓ જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત સૌનું માર્ગદર્શન કરશે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહે આ વિશે જણાવતાં કહ્યું હતું, “દેશમાં પશુરક્ષાના મોરચે સૌથી મહત્ત્વપૂર્ણ એવા બોર્ડના ચેરમેન જીવદયાપ્રેમી સંમેલનમાં પધારેએ અત્યંત આનંદની બાબત છે. ઉપરાંત, જીવદયાના ક્ષેત્રે વધુ અસરકારક કાર્ય કેવી રીતે થઈ શકે તે વિશે ઉપસ્થિત સૌને સચોટ માર્ગદર્શન મળે તે માટે પણ ગુપ્તાસાહેબની હાજરી મહત્ત્વપૂર્ણ બની રહેશે. સમસ્ત મહાજન તથા અન્ય તમામ આયોજકો અને જીવદયાપ્રેમીઓ વતી હું તેમનું આ પ્રસંગે સ્વાગત કરવા તથા માર્ગદર્શન મેળવવા ઉત્સુક છું.”
જીવદયાપ્રેમી સંમેલન અંતર્ગત ઉપસ્થિતો ધર્મજ સ્થિત સૂરજબા પાર્ક ગોચરભૂમિ, ધોલેરા સ્થિત ગોકુળગામ, બંસી ગિર ગૌશાળાની મુલાકાત લેશે. આ
ક્ષેત્રના નિષ્ણાતો સાથે સૌના બે વિચારસત્ર પણ યોજાશે. સાથે, સૃષ્ટિ આયોજિત વિસરાતી વાનગીઓનો મેળો તથા ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણકેન્દ્રની પણ સૌ મુલાકાત લેશે. સંમેલનમાં જોડાવા ઇચ્છનારા જીવદયાપ્રેમીઓ સમસ્ત મહાજનનો સંપર્ક સાધી શકે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.