કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના સૌથી મોટા આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરીને ગુજરાતીઓને ખુશ કરી દીધા છે. મુખ્યમંત્રી દ્વારા 14 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વીજળી બિલ માફ કરવાનો પણ નિર્ણય લીધો છે. 100 યુનિટ વીજબિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પેકેજ અનુસાર 92 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
“આત્મનિર્ભર ગુજરાત’ રાહત પેકેજની જાહેરાત
- 100 યુનિટ વીજબિલ માફ કરી દેવાયું
- 92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત મળશે
- વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી અપાઈ
- નાના વેપારીઓને વીજબિલમાં 5 ટકા રાહત
- ઓગસ્ટ મહિના સુધી વીજકર 15 ટકા જ લેવાશે
- રીક્ષા, જીપ, ટેક્સીનો 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ
- 63000 વાહનનો 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ
- ઉદ્યોગો માટે રૂ.768 કરોડની રાહત
- ટેક્સટાઈલ ઉદ્યોગોને રૂ.450 કરોડની કેપિટલ સબસિડી
- મેગા ઈન્ડસ્ટ્રીઝને રૂ.150 કરોડની કેપિટલ સબસિડી
- 1200 કરોડનું GST રિફંડ જુલાઈ સુધીમાં ચૂકવાશે
- GIDC માટે રૂ.450 કરોડ ફાળવાયા
- એફોર્ડેબલ હાઉસિંગમાં રૂ.1000 કરોડની સબસિડી
- 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ
- રૂ.410 કરોડ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે
- આદિવાસી શ્રમિકને મકાન બનાવવા રૂ.35000ની સબસિડી
- મકાન બાંધકામ માટે રૂ.350 કરોડની ફાળવણી
- 20 નવા ધન્વંતરિ રથ, રૂ.25 કરોડની ફાળવણી
- CM રાહત ફંડમાંથી 8 મનપાને 100 કરોડની ફાળવણી
- કોવિડ – 19ના સંદર્ભે રૂ.100 કરોડની ફાળવણી
- ST વિભાગને રૂ.120 કરોડની ફાળવણી
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયદીઠ રૂ.900
- માછીમારોને સાધન ખરીદી માટે રૂ.200 કરોડ સબસિડી
- 4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે
- ઈન્ટરેસ્ટ સબસિડી માટે રૂ.300 કરોડ ફાળવાશે
- 2 ટકાના દરે 1 લાખ સુધીની લોન અપાશે
- મહિલા સખી મંડળોને શૂન્ય ટકા દરે લોન
- માનવ ગરીમા કલ્યાણ યોજનામાં 32000 લાભાર્થી