ગુજરાતમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમણ પણ સતત વધી રહ્યું છે, તેને ધ્યાનમાં લઈને 10 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 ઈવેન્ટને રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જાહેર જનતાના હિતને ધ્યાનમાં લઈને અને જાહેર જનતાના આરોગ્યની ચિંતા કરીને આ વાઇબ્રન્ટ સમિટ રદ કરી છે.
રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનું જાહેર કર્યું છે. એ ખુબ જ સરાહનીય પગલું છે જેના થકી આવતા સમયની અંદર હાલ પરિસ્થિતિમાં જે કોરોના કેસ વધી રહ્યા છે એ સંદર્ભે સરકાર અને સરકારનું ધ્યાન પણ સતત કોરોના તરફ હતું પરંતુ આ એક જ પગલાંથી આખા ગુજરાતની તમામ જનતામાં ખૂબ મોટો મેસેજ જવાનો છે. સરકાર આટલી મોટી ઇવેન્ટ પણ પ્રજાના હિત માટે અને પ્રજાના આરોગ્ય માટે રદ કરી શકતી હોય તો પ્રજાએ પણ પોતે પોતાના ત્યાં લગ્નના મેળા, સામાજિક અથવા તો ધાર્મિક કાર્યક્રમો કે જ્યાં ભીડ ભેગી થાય એવી જગ્યાએ પોતાની જાતને પરિવારને બચાવવા માટે સરકારની પડખે ઉભા રહીને આવા બધા કાર્યક્રમો રદ્દ કરવા જોઇએ જેથી કરી આવતા સમયમાં આપણે કોરોના સંક્રમણ નિયંત્રણમાં રાખી શકીએ.
રાજ્યમાં કોરોના નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વારંવાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવે છે જે જૂની ગાઇડલાઇન્સ 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આજે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠકમાં નવા નિયંત્રણ લાવી શકાય છે. આમ સાત તારીખે સમગ્ર રાજ્યમાં નવા નિયંત્રણ લાગી શકશે ઉલ્લેખનીય છે કે અત્યારે ફક્ત આઠ કોર્પોરેશન વિસ્તારમાં જ રાત્રિ કરફ્યુ અમલી છે ત્યારે આવનારા સમયમાં તમામ જિલ્લાઓમાં રાત્રે કર્યું અમલી થઇ શકે છે.
પરિસ્થિતિ કેવી રીતે અત્યારે વિકટ બનતી જઈ રહી છે અને અનેક રાજ્યો દ્વારા નાઈટ કર્યું અને કહ્યું નો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ નાઈટ કરફ્યૂમાં સમયમાં વધારો કરી શકે છે અને રાત્રે કર્યું 9:00 થી લાગુ કરી શકે છે, જ્યારે વિકેન્ડ કર્યું એટલે કે શનિ અને રવિવારે પણ સંપૂર્ણ કરફ્યુ જાહેર કરી શકે છે.