અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ આજે બપોરે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ પીએમ મોદી, બીજી તરફ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે.
સીએમ રૂપાણીએ માહિતી આપતા કહ્યું કે અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું મહેસાણા તરફ આગળ વધ્યું છે. આ સાથે સીએમે આગોતરા આયોજનના કારણે મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હોવાની વાત કરી..સીએમે સમગ્ર રાજ્યમાં કુલ 13 લોકોના મોત થયા હોવાની વાત કરી છે. સીએમે 5551 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની વાત કરી સાથે જ 2101 ગામમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કરી દેવાયાની જાહેરાત પણ કરી હતી.