લોકસભા ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓને પ્રથમ વાર વર્ચ્યુઅલ સંબોધન કરનાર છે.
આવતીકાલે 11 વાગ્યે દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને પીએમ મોદી સંબોધન કરશે.
સાથેજ ગુજરાતમાં 51000થી વધુ બુથના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકારના મંત્રી, ધારાસભ્યો, ભાજપ પ્રદેશના હોદ્દેદારો સહિત ભાજપ હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં 9 વર્ષ પૂર્ણ કરતા છેલ્લા એક મહિનાથી ભાજપ દ્વારા ચાલી રહેલા કેમ્પઈન અંતર્ગત વડાપ્રધાન કાર્યકર્તાઓને સંબોધન કરશે.
ભાજપ પાર્ટી એ 2014માં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને દિલ્હીની ગાદી મેળવી હતી, ત્યારથી અત્યાર સુધી અનેક નાના-મોટા ઉતાર ચઢાવો જોઈ દેશને વૈશ્વિક કક્ષાએ વિશેષ સ્થાન અપાવ્યું છે અને નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ છે.
કેન્દ્રમાં ભાજપની સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ર૦૧૪ થી શરૃ થયેલ શાસનના નવ વર્ષ પૂર્ણ થતા હોય ૩૦-પ-ર૩ થી તા. ૩૦-૬-ર૩ સુધી સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ભાજપ દ્વારા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે પીએમ મોદી ભાજપના કાર્યકરોને સંબોધન કરશે.