ગુજરાતમાં ઓખી વાવાઝોડુ કહેર ફેલાવી રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદી પણ ચિંતીત થયા હતા. PM મોદીએ મંગળવારે સવારે એક ટ્વિટ કરીને ભાજપના કાર્યકરોને લોકોની મદદ કરવાની અપીલ કરી છે. ઓખી વાવાઝોડુ મંગળવારે રાત્રે સુરતના દરિયા કિનારે ટકરાશે.PM મોદીઅે આ વિશે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે. ઓખી વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી અાપી હતી.
વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓખીની અસરને પગલે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ સોમવારે સાંજે વરસાદ પડ્યો હતો. મંગળવારે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ઓખીના પગલે આજે ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓની રેલીઓ પણ રદ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 9મી તારીખે ચૂંટણી યોજાનાર છે ત્યારે ઓખીની અસરને પગલે ચૂંટણી પ્રચાર પર થોડો સમય જાણે કે અલ્પવિરામ મુકાઈ ગયો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.