અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણીના પહેલા જ્યાં એક તરફ બીજેપી પર પાટીદાર નેતાઓને ઘૂસ (કેશકાંડ )આપવાના આરોપસર ધમાસાણ મચ્યું છે. ત્યાં આજે રાહુલ ગાંધીએ ગુજરાતનો ત્રીજીવાર દૌરો કરતા ગાંધીનગરમાં એક રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ દલિત સમાજને ખુશ કરવાના પ્રયાસમાં જય ભીમના નારાઓ સાથે ભાષણની શરૂઆત કરી હતી. વિશેષમાં આ રેલી તેઓએ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે મળીને કરી હતી. તેમજ આ રેલીમાં તેઓ કેન્દ્રની મોદી અને રાજ્યની બીજેપી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.
એમાં પણ ખાસ તો પાટીદાર નેતાઓના ઘુશ આપવાના આરોપ સામે રાહુલે જાટકણી કાઢતા કહ્યું કે, મોદી ગુજરાતની જનતાની અવાજ દબાવવા માંગે છે, એને ખરીદવા માંગે છે પરંતુ ના આ અવાજ ખરીદઈ શકે છે કે ના દબાઈ શકે છે. વિશેષમાં તેઓએ પ્રજાની અંદરના આક્રોશની વાત કરતા જણાવ્યું કે,ગુજરાતમાં આજે પહેલીવાર એવી હાલત છે કે, સમાજના દરેક તબક્કામાં હાલ કોઈક ને કોઈ ઇસ્યુ પર અંદોલન ચાલી રહ્યું છે. અને આવું એટલા માટે થઇ રહ્યું છે કે, કેટલાક મુઠીભર લોકો જ સરકાર ચલાવી રહ્યા છે.
તેમજ બીજેપી પર નિશાન તાકતા રાહુલે કહ્યું કે, પાછલા ૨૨ વરસથી જનતાની સરકાર નહિ બલકે ૫ થી ૧૦ ઉદ્યોગપતિઓની સરકાર છે. તેમજ એકતરફ દેશમાં જ્યાં ચાઈનાનો વિરોધ થઇ રહ્યો છે અને ડોક્લામ મુદ્દે જ્યાં ચાઈનાનો ઘમંડ ચકનાચૂર કરી ભારતનું સર ગર્વથી ઊંચું કર્યું છે. ત્યાં બીજી તરફ હાલત તે છે કે, તમારા હાથમાં કેમેરા કે મોબાઇલ છે તો તેની પાછળ પણ મેડ ઇન ચાઈના લખ્યું હોય છે. નહિ કે મેડ ઇન ગુજરાત. કોમ્પ્યુટરથી લઈને કોઇપણ સામાન લો એમાં લખ્યું હોય છે કે, મેડ ઇન ચાઈના.
અરે ઇવન તમે ટેક્ષી બૂક કરશો તો પણ રોજગારી ચીનના યુવાનોને મળશે. અને આજ હિન્દુસ્તાન અને ગુજરાતની સચ્ચાઈ છે. અને તમે નહિ માનો પણ હાલ ગુજરાતમાં ૨૦ લાખ યુવાનો બેરોજગાર છે. તેમજ કફોડી સ્થિતિ તે છે કે, દરરોજ ૩૦ હાજર યુવાનો રોજગારી શોધવા નીકળે છે. અને આ સ્થિતિ સમાજના દરેક યુવાનની છે.
ખેર રાહુલે જે વ્યંગ કર્યા છે એ કદાચ ચુંટણીને અનુલક્ષીને છે. પરંતુ જમીની સચ્ચાઈ તે છે કે, યુવાનો જે આશાઓ અને અરમાનો રાખી ઉચ્ચ અભ્યાસ કરે છે . તેની સામે એમને રોજગારી મળતી નથી અને તેઓ દર દરની ઠોકરો ખાતા હોય છે. અને માનો કે ના માનો પરંતુ પાટીદારોનું અનામત અંદોલન પણ એની જ નીપજ છે. અને તે સિવાય ઓબીસી અને દલિત લોબીનું એકજુટ થવું એ પણઆ બેરોજગારીનું પરિણામ છે.
આ સિવાય તેઓએ શિક્ષણનો, ઉધોગપતિઓનો અને ખેડૂતોના કર્જમાફીનો પણ ઉલ્લેખ કર્યો. તેમજ નોટબંદી અને જય શાહ ના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો. ત્યારે હવે એક વાત તો નક્કી છે કે, આ ફેર કોંગ્રેસને બીજેપી વિરુદ્ધ ઘણા બધા સળગતા મુદ્દા મળી ચુક્યા છે કે, જેનાથી પબ્લિક સાચે ન દાજી છે અને આ દાજમાં થી જ એક આક્રોશની ચિનગારી પ્રગટી છે… જે કદાચ ભાજપને દજાડી શકે.
રીના બ્રહ્મભટ દ્વારા