રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 122 મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં 108 મી.મી, તાલાળામાં 102 મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 15 જુન 2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં 96 મી.મી અને કોડીનાર તાલુકામાં 81 મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં 62મી.મી,માળિયામાં 61 મી.મી. ભેસાણમાં 50 મી.મી., મેંદરડામાં 49 મી.મી, જૂનાગઢ તાલકો અને જૂનાગઢ શહેરમાં 48 મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.