અરબી સમુદ્રમાં આકાર પામેલી અપર એર સરકયૂલેશનની સિસ્ટમ (System of upper air circulation) ની અસર હેઠળ મંગળવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy rains in Saurashtra) થયો છે. ખાસ કરીને દ્વારકાના ભાણવડ (Bhanwad) તાલુકામાં છ ઈંચ વરસાદ થયો છે. એકંદરે 31 તાલુકાઓમાં 6થી 1 ઈંચ જેટલો વરસાદ થયો છે. સરેરાશ મંગળવાર સાંજ સુધીમાં રાજયમાં 52 કરતા વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો.
ગાંધીનગરમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (Emergency Operations Center)ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, ભાણવડમાં 6 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ, ખાંભામાં 5 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 5 ઈંચ, અમરેલીના બગસરામાં 5 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, સાવરકુંડલામાં 4 ઈંચ કુતીયાણામાં 4 ઈંચ, જાફરાબાદમાં 4 ઈંચ, રાજુલામાં 3 ઈંચ, અમરેલીમાં 3 ઈંચ, ધારીમાં 2.5 ઈંચ, ઉપલેટામાં 2.3 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ, વંથલીમાં 2 ઈંચ, બાબરામાં બે ઈંચ, માળીયામાં 2 ઈંચ, જુનાગઢ સિટીમાં 1.6 ઈંચ વરસાદ થયો છે. એકંદરે મંગળવારે સૌરાષ્ટ્ર (Saurashtra) ના સાબરકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.
જુનાગઢ (Junagadh), અમરેલી (Amreli), ગીર સમેનાથ (Gir Somnath)માં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. તાલાલામાં આવેલી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજુલામાં તો નદીમાં ઘોડાપુરના કારણે માલ ઢોર પણ તણાઈ ગયા હતા. મહુમાં ખારી નદી પણ બે કાંઠે વહી રહી છે. સૌરાષ્ટરમાં ભારે વરસાદ (Heavy Rainfall)ના કરણે મગફળી અ કપાસના પાકને ભારે ફાયદો થવાનો છે. ગીરમાં ભોજદે નજીકથી પસાર થતી કપૂરિયા નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ભાવનગર (Bhavnagar) માં બગદાણઆમાં રપણ નદીમાં પૂર આવ્યું છે.તેવી જ રીતે સાવરકુંડલા (Sanvar Kundala)માં નૈવલી નદીમાં પણ ઘસમસતુ પાણી આવ્યું છે, સૌરાષ્ટ્રમાં માધાપરમાં મંગળવારે વીજળી પડતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જો કે તેના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી.