Rajkot Janmashtami Mela SOP: સિમેન્ટ ફાઉન્ડેશન અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બાબત વિવાદ
Rajkot Janmashtami Mela SOP: રાજકોટમાં 14 થી 18 ઓગસ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં રાઈડસ ધારકો માટે SOPના કડક નિયમો પર વિવાદ ઉભો થયો છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી, આ નિયમોમાં રાહત અપાવવા માંગ કરી છે.
એમ્યુઝમેન્ટ્સને સિમેન્ટ ફાઉન્ડેશન અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટની માંગ અશક્ય લાગતી હોવાથી, જો કડક નિયમો લાગુ રહેશે તો તેઓ મેળાનું બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી રહ્યા છે.
ગત વર્ષના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં SOP વધારાયા છે, જેના કારણે ઘણી વખત મેળા બંધ પડ્યા હતા અને લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ વર્ષે પણ SOP કડક હોવાથી સ્થાનિક સંચાલકો પર તણાવ રહ્યો છે અને તેમને રોજગારી પર અસર થવાની ચિંતાઓ છે.
સુરત જેવી બીજી જગ્યા પર મેળા અને રાઈડસ માટે મંજૂરી આપવામાં આવતી હોય, ત્યારે રાજકોટમાં આ નિયમો કડક કેમ રાખવામાં આવ્યા છે તે અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.