એક સમયે રૂપાલ તથા આસપાસના પંથકમાં ભગવાન તરીકે પુજાતો ઢબુડી માતા પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી ફરાર થઇ ગયો છે. ઢબુડી માતાએ અંધશ્રધ્ધાના નામે રીતસરની હાટડી ખોલી હતી. વિજ્ઞાનજાથાના સર્વે પ્રમાણે ઢબુડી માતા અને તેના સાગરીતોને સપ્તાહની 80 લાખથી એક કરોડની આવક હતી.
ઢબુડી માને એક વિચિત્ર શોખ હતો. તેઓને વિદેશી ચોકલેટોનો અનોખો શોખના કારણે જાણીતા બન્યા હતા. ઢબુડીને વિદેશી ચોકલેટનો અનોખો શોખ પણ હતો, જેથી તેમના ભક્તો જ્યારે સ્વિડન, યુ.કે, યુએસ સહિતના દેશમાંથી આવતા લોકો મોટા પ્રમાણમાં વિદેશી ચોકલેટ પ્રસાદ રૂપે લઈ આવતા હતા. આ સિવાય ઢબુડીને (ઢીંગલી), બદામ પિસ્તા, ચોકલેટ સહિતની ચીજવસ્તુઓ પ્રસાદીના સ્વરૃપમાં તેને ધરાવવાની પરંપરા હતી. આ તમામ વસ્તુઓ ઢબુડી માતાના મળતિયાઓ જ વેચતા હતા.
રૂપાલમાં તેના દરબારમાં દસથી પંદર હજાર લોકો આવતા હોવાનું ગ્રામીણો જણાવી રહ્યા છે. આ જગ્યા માટે ઢબુડી માતા ભાડુ પણ ભરતો હતો. એક ડે કલેક્ટર કક્ષાના અધિકારી પણ આ ધુતારાની મોહમાયાથી અભિભુત હોવાના તથા પોતાના ભાઈનું કેન્સર મટયાના દાવા કર્યા હોવાની વિગતો બહુર્ચિચત બની છે. રૂપાલ છોડયા પુર્વે તે ગાંધીનગર ખાતે રંગમંચમાં દરબાર ભરતો હતો. અહિથી જ તેણે ઢબુડી માતાના નામે ધતિંક શરૂ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, જે વ્યક્તિ ઢબુડી માતાના નામે ધતિંગ ચલાવતો હતો તે મુળ રૂપાલનો છે અને તેનું નામ ધનજી રઆડ હોવાનું જાણવા મળ્યુ છે. ધનજી અને તેના કહેવાતા અનુયાયીઓનો પ્રારંભમાં ટાર્ગેટ ગરીબ અને મધ્યમવર્ગના લોકો હતો. જેને અંધશ્રધ્ધાના નામે વ્યવસ્થિત રીતે જાળમાં ફસાવીને લૂંટવામાં આવતા હતા. ગાંધીનગરમાં દબાણ વધતા આખરે તેણે સ્થળ બદલ્યુ હતું અને બાદ રૂપાલમાં ડેરાતંબુ તાણ્યા હતા. અહીં તેણે એક ખેતર ભાડે રાખ્યુ હતું. જ્યાં શેડ બનાવીને પ્રપંચ ચલાવતો હતો.
ધનજી ધતિંગ વખતે પોતાનું મોઢુ ચૂંદડીથી ઢાંકેલુ રાખતો હતો. તે ધુણતો હતો. તેના અનુયાયીઓ ગરીબ અને ગ્રામીણ પંથકમાં એવા પ્રકારની આભા ઉભી કરતા હતાકે, થોડાઘણા દુખદર્દ ધરાવતી વ્યક્તિઓને તેનો આસાન શિકાર બનતા હતા. જે જગ્યાએ ઢબુડી માતાનો દરબાર ભરવાનો હોય તે ગામમાં તેના અનુયાયીઓ અગાઉથી જ પડાવ નાખતા હતા અને લોકોને ઢબુડી માતાના પરચાની વાતો કરી ભોળવતા હતા.
વિજ્ઞાનજાથાને જ્યારે આ બાબત ધ્યાન પર આવી ત્યારે તેણે પ્રથમ જે સ્થળે ઢબુડી માતાનો દરબાર ભરવાની જાહેરાત થતી હતી તે સ્થળની મુલાકાત લેતા હતા અને એક સર્વે કરવામાં આવ્યો હતો. ઢબુડી માતાના એક દરબારમાં તે લોકો પાસેથી ૮૦ લાખથી એક કરોડ જેટલી રકમ પડાવી લેતો હતો. દરેક વ્યક્તિ પાસેથી 50 રૂપિયાની ફી પણ વસુલ કરવામાં આવતી હતી.
રૂપાલમાં બેરોકટોક આ ધતિંગ ચાલ્યા બાદ ગ્રામજનોના જાણમાં આવ્યુ હતુકે, તે રૂપાલના પ્રસિધ્ધ વરદાયીની માતાની વિરૃધ્ધમાં પણ લોકો સમક્ષ ભાષણ કરતો હતો. માતાજી માત્ર ર્મુતિ સ્વરૃપ હોવાથી અહિ દર્શન કરવા ન જવુ તેમ જણાવી તે વરદાયીની માતાના વિરૃધ્ધમાં લોકોને ઉશ્કેરતો હતો. જેની જાણ ગ્રામજનોને થતા તેને ગામમાંથી મારીને ભગાડી મુકવામાં આવ્યો હતો. રૃપાલમાંથી ડેરાતંબુ ઉઠયા બાદ ઢબુડી માતાએ સુરત, પાલનપુર, લુણાવાડા, મહેસાણા પંથકમાં ફરતો હતો અને છુટાછવાયા ગામોમાં દરબાર ભરીને લોકોને લૂંટતો હતો.
યૂ ટયૂબમાં લગભગ 20 લાખ ફોલોઅર્સ
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્રો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માતા પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યૂ ટયૂબમાં વીડિયો ચડાવતાં રહે છે. યૂટયૂબમાં લગભગ 20 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. જ્યા પણ ઢબુડી માતા પહોંચે ત્યા તેમની ટોળકી પહોંચી જાય છે.