કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી સુધી રાજ્યની એક પણ શાળાઓ શરૂ થશે નહીં. દિવાળી બાદ નવું સત્ર શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી દ્વારા હાલ ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે.
શાળાઓ શરૂ થશે કે નહીં તે અંગે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંચાલકો પણ મુંઝવણમાં હતા. આ અંગે સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી સુધી એક પણ શીાળા શરૂ થશે નહીં. દિવાળી બાદ વિચારણા કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે.