રાજકોટ સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી, શંકરસિંહે કહ્યું કે આ વખતે જનવિકલ્પ પક્ષ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો કહે છે કે બાપુનો જનવિકલ્પ પક્ષ કોંગ્રેસને નુકશાન પહોંચાડવા માટે રચાયો છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ 1990થી વિધાનસભાની ચૂંટણીમાં હારતી આવી છે. જેનો સીધો મતલબ છે કે ત્રીજો પક્ષ હોય કે ન હોય કોંગ્રેસ હારે જ છે. ભાજપ પ્રત્યે લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમયે લોકો જ પોતાના ઉમેદવારને નક્કી કરી જનવિકલ્પ માટે ચૂંટી અને પોતાના પ્રશ્નો ઝડપથી દૂર કરે.’બાપુએ જણાવ્યું હતું કે, ‘હાલની ભાજપની સરકાર આવતીકાલના વાયદા અત્યારથી કરે છે. મગફળીના ભાવ 900 નહીં પરંતુ 1200 હોવા જોઈએ.’ તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે રાજકોટમાં કેબિનેટ લાવ્યો હતો. આગામી વિધાનસભામાં જનવિકલ્પ 182 સીટ પર મહિલા, યુવાનો અને શિક્ષિત વર્ગને ઉમેદવાર તરીકે પસંદ કરશે


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.