સિદ્ધપુરઃ ઉત્તર ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં માતા-પિતા માટે ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 11 વર્ષના બાળકે પેપ્સી લેવાના પૈસાન મળતા આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું હતું. જોકે, આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ઘરની બંધ ઓરડીમાં પંખા સાથે દોરી વડે ગળાફાંસો ખાધાની ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પિતાએ પોતાની સાળી પાસેથી પુત્રને દત્તક લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરમાં રહેતા અને રીક્ષા ચલાવતા શબ્બીર હુસેનભાઈ ચૌહાણનો સાળી પાસેથી દત્તક લીધો પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. જે સાંજે 5.00 વાગે સ્કૂલેથી આવી તેના પપ્પા શબ્બીરભાઈ પાસે પેપ્સી માંગતા તેઓએ કહેલું કે પેપ્સી ખાવાથી શરદી કફ થઈ જશે તેથી તું ખાઈશ નહીં તેવું કહીને તેઓ રિક્ષા લઈ બહાર નીકળ્યા હતા. આ વાતનું ખોટું લગાડી અમીર શબ્બીરભાઈ ચૌધરી ઉંમર 11 વર્ષ પોતાના ઘરની ઓરડીમાં ગળે પ્લાસ્ટિક દોરીથી ફાંસો લગાવી પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પાડોશીઓએ તરત જ શબ્બીરભાઈ અને પોલીસને જાણ કરી હતી.
શબ્બીર ભાઈના માથે જાણે આભ ફાટ્યું હોય તેમ હૈયા ફાટ રુદન કર્યું હતું. આ દીકરો તેમને તેમની સાળી પાસેથી દત્તક લીધેલ હતો જેથી શું જવાબ આપશે તેમ વિચારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.શહેર પી.આઇ સીવી ગોસાઈ એ જણાવ્યું હતું કે મૃતક અમીર સોશિયલ મીડિયામાં એકટીવા હતો. facebook ઉપર તેના ૫૦૦ જેટલા ફ્રેન્ડ હતા .પેપ્સી માટે તેણે આ કૃત્ય કર્યું હોવાનું હાલમાં ધ્યાને આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરાશે. તેના અસલ માતા-પિતાને પણ પૂછપરછ કરાશે.
મૃતક અમીરના પિતા સબીરભાઈ ચૌહાણે જણાવ્યું કે તેઓ સાંજે ચા પીવા ઘરે ગયા ત્યારે અમીર પેપ્સી પીવા માટે પૈસા નાખ્યા હતા પરંતુ તેને બે-ત્રણ દિવસથી શરદી ખાંસી થયેલા હોવાથી તેને પેપ્સી પીવાની ના પાડી હતી આ પછી તેઓ રિક્ષા લઈને ધંધો કરવા ગયા હતા અને આ ઘટના બની હતી.
માતા ઘરની બહાર નીકળેલ હતા ત્યારે બહારથી દરવાજો બંધ હોય અને અંદરથી કશોક અવાજ આવતો હોય તેમણે બૂમાબૂમ કરતાં પડોશમાંથી લોકો દોડી આવ્યા હતા અને બારીમાંથી જોતા તે પંખા સાથે લટકી ગયો હતો.