વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે તેના પગલે તંત્ર સતર્ક થઈ ગયું છે. એસ.ટી ડેપો મેનેજરને સૂચના પણ આપી દેવામાં આવી છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે.
વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને જરુર પડશે તો વધારે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. જો કે, રાજય સરકાર દ્વારા એસટી ડેપોના મેનેજરને સૂચના આપતા જણાવ્યું છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે.
આ અંગે એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે, રાજ્યમાં ફરી રહેલી બસમાં ફરજ બજાવી રહેલા કંડક્ટર અને ડ્રાઈવરના કોન્ટેક્ટ નંબર રાખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવાનું હશે તો આ નંબર ઉપર સંપર્ક કરવામાં આવશે. જેતે વિસ્તારમાં કોઈ પણ બસને મદદ પહોંચાડવાની હશે તો જે તે વિસ્તારના કલેક્ટરનો પણ મદદ માટે સંપર્ક કરવામાં આવશે.