મેહુલ ભટ્ટ દ્વારા :
છેલ્લા લગભગ ત્રણ દાયકાથી સુરત બારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. સુરતમાં હાલને તબક્કે બાર પૈકી છ બેઠકો ઉપર ભાજપ પોતાનું સ્થાન ધરાવે છે, પરંતુ વિધાનસભા ૨૦૧૭ની ચૂટણીમાં ભાજપને પોતાના તમામ વહાણ અહિયાં ડૂબી જશે તેવો સતત ભય સતાવી રહ્યો છે. જીએસટીના કારણે ભાજપથી સખ્ત નારાજ થયેલા વેપારીઓમાં ભાજપ માટે ભારોભાર આક્રોશ વર્તી રહ્યો છે, તે હજુ સુધી ઠંડો પડ્યો નથી જીએસટી એટલે સરકારે પોતાના હાથમાં જીવતો સાપ પકડી લીધો હોય તેવી સ્થિતિ ભાજપની થવા પામી છે.
કાપડ ઉદ્યોગના વેપારીઓ ઉપરાંત ભાજપને મોટા પ્રમાણમાં પાટીદારોનો પણ ભય સતાવી રહ્યો છે. આ બંનેની ભારે નારાજગીના કારણે ભાજપને પોતાનો ત્રીસ દાયકા જુનો ગઢ ગમેત્યારે ધરાશાયી થઇ જાય તેવો ભય સતત સતાવી રહ્યો ચી. વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાયે વર્ષોથી કોંગ્રેસ પગ મૂકી શકતી નહોતી તેના બદલે ત્યાં ખુદ રાહુલ ગાંધીની ભારે સફલ્તાપુર્વાકની સભા યોજાતા ભાજપનું મોવડી મંડળ ચિંતિત બન્યું છે.
બીજી તરફ સાવ જ વેરવિખેર અને સાવ જ પતિ ગયેલી દેખાતી કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર આંદોલન, અલ્પેશ ઠાકોરના લીધે ઠાકોરોનું સમર્થન અને બીજી તરફ જીએસટીનાં કારણે વેપારી વર્ગની વધેલી નારાજગીનો સીધો જ મોટો ફાયદો મળી રહ્યો છે, તેવી જ રીતે સુરતમાં લગભગ પાંચ લાખથી પણ વધુ ઉત્તર ભારતના લોકો વર્ષોથી વસે છે. તેમની વર્ષો જૂની મંગની ઉત્તર ભારત સાથેની ત્રીનો વધારવાની છે, જેના માટે તેમણે રેલીઓ પણ કાઢી હતી અને તે સમયે સંસદ સી.આર. પાટીલે એવી ટીપ્પણી પણ કરી કરી હતી કે આ રેલીઓ કોંગ્રેસ પ્રેરિત છે, તેના કારણે માંગ કરનારાઓમાં ભારે રોષ ફેલાયો હતો. માત્ર સુરતના ચોર્યાસી મત વિસ્તારમાં એક લાખથી વધુ મતદારો ઉત્તર પ્રદેશના છે. જે નિર્ણાયક પરિબળ બની શકે છે.