કોરોનાના કકળાટ વચ્ચે સરકારે વાલીહીતમાં નિર્ણય લીધા બાદ રાજ્યના 15 લાખ કરતા વધારે શિક્ષકો બેરોજગાર બની ગયા છે. સરકાર દ્વારા ફી ન ઉધરાવવાના નિર્ણય બાદ શાળાઓ બંધ થઈ જતા શિક્ષકોએ રોજગાર માટે ફાંફાં મારવાનો વારો આવી ગયો છે. શિક્ષણ વિભાગના એક અવિચારી પરિપત્રએ શિક્ષકોની આર્થિક સ્થિતિ કફોડી કરી નાખી છે. જે અંતર્ગત પગાર વગરના શિક્ષિત બેરોજગાર થઈ ગયેલા ગુજરાતના 15 લાખથી વધારે શિક્ષકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને આવેદન આપીને સ્કૂલો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને શિક્ષકોને રોજગારી પુરી પાડવા માટે માંગ કરી છે.
શિક્ષણ વિભાગના એક અવિચારીક પરિપત્રએ લાખો શિક્ષકોના રોજગાર પર લાત મારી દીધી છે. કોરોનાના કપરા કાળમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો માટે અન્ય મજૂરી કે રોજગાર મેળવવા ખૂબ અધરા છે. શિક્ષકોએ આવેદનમાં જણાવ્યું હતું કે કોઈ પણ રાજ્યમાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોને નોકરી આપવાની જવાબદારી સરકારની છે. શિક્ષણ વિભાગના નિર્ણયથી લાખો શિક્ષકો બેરોજગાર બની ગયા છે. અત્યાર સુધી શિક્ષકો પ્રાઈવેટ શાળાઓમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતી પરંતુ સ્કુલો દ્વારા ફી ન લેવાના પરિપત્ર બાદ શિક્ષકો પગાર અને નોકરી વગરના થઈ ગયા છે. ક્વોલિફાઈડ થયેલા શિક્ષકો પાસે કોરોનાના સમયમાં અન્ય કોઈ રોજગાર ન હોવાથી ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે. જો આ જ પરિસ્થિતિ રહી તો શિક્ષકોએ આપધાત કે અનિચ્છનિય પગલા લેવાનો વારો આવી શકે તેમ છે.
શિક્ષકોએ પોતાની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર અને વાલીઓ વચ્ચેના ઘર્ષણનો ભોગ શિક્ષકો બન્યા છે. શિક્ષકોની પરિસ્થિતિ અંગે વિચાર કરીને સંવેદનશીલ નિર્ણય લઈ સ્કૂલોને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અથવા તો બેરોજગાર બની ગયેલા શિક્ષકોને આર્થિક રોજગારી પુરી પાડી સરકાર પોતાની જવાબદારી પુરી કરે. આ સાથે શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતમાં યોગ્ય નિરાકણ લાવવામાં નહીં આવે તો શિક્ષકો ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલસન કરશે