નાગરિકતા સંશોધન કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનું સંગઠન કાયદા અંગે સમજ આપવા રસ્તા પર ઉતરશે. ગુજરાત ભાજપે કમલમમાં બેઠક યોજાઈ હતી. જેમાં નાગરિકતા સંશોધન કાયદા માટે કેન્દ્ર સરકારનો અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તો સાથે જ રાજ્યભરમાં સીએએ અંગે લોકોને જાગૃત કરવા કાર્યક્રમો ઘડી કાઢ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા મામલે દેશભરમાં કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે. પ્રદેશ ભાજપ 24 ડિસેમ્બરે સીએએના સમર્થનમાં રેલી અને દેખાવો કરશે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિઓ જોડાશે. તો આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસે કૃષિ સંમેલનો યોજાશે. નાગરિકતા સંશોધન કાયદાની સાચી વાત લોકો સુધી પહોંચાડવા પત્રિકાઓ વહેંચશે.
29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘર-ઘર સંપર્ક કરીને પત્રિકાઓ વહેંચશે. કોલેજ કેમ્પસમાં પણ આ સીએએ અંગેના કાર્યક્રમો યોજશે. શરણાર્થીઓને મળવાનો કાર્યક્રમ કરવામાં આવશે. તો જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે નાગરિક સંશોધન કાયદા મામલે કોંગ્રેસ ભ્રમ ઉભો કરે છે. 24 તારીખે સીએએના સમર્થનમાં રેલી દેખાવો યોજાશે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ યોજાશે.
25 ડીસેમ્બરે અટલબિહારી બાજપેયીનો જન્મ દિવસ છે. જેથી કૃષિ સંમેલનો પણ યોજાશે. 29 ડીસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘર ઘર પત્રિકા ઘર ઘર સંપર્ક કરાશે અને સીએએની સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં આવશે. કોલેજ કેમ્પસમાં પણ આ અંગેના કાર્યક્રમો યાજાશે. સાથો સાથ શરણાર્થીઓને મળવાનો કાર્યક્રમ કરવામાં આવશે. અભિનંદન પ્રસ્તાવ કેન્દ્રની સરકાર માટે કરવામાં આવ્યો છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે.