અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર એછેકે, હવે અમદાવાદ શહેરમાં ગટરમાં ઠલવાતા ગંદા પાણીના સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં શુધૃધ કરીને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. આજે વાસણઆ બેરેજ ખાતે રિયુઝ વોટર પ્રોજેક્ટને લોન્ચ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું કે, અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 12 હજાર હેકટર જમીનમાં ટ્રીટમેન્ટ કરેલુ પાણી સિંચાઇ માટે આપવા આયોજન કરાયુ છે.સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી શુધૃધ પાણી અપાતાં ખેડૂતોની આવકમાં ય વૃધ્ધિ થશે.
અમદાવાદ જિલ્લામાં આમેય ખેડૂતો સિંચાઇના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. પાણીની અછતને કારણે ખેડૂતો પાક લઇ શકતાં નથી. હવે સરકારે રિયુઝ વોટર પર ભાર મૂક્યો છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની એક આશા બંધાઇ છે. અમદાવાદમાં વાસણા બેરેજમાં રિયુઝ પ્રોજેક્ટને લોન્ચ કરી મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને રોજ 350 એમએલડી શુધ્ધ પાણી આપવા જાહેરાત કરી હતી.
એક કરોડના ખર્ચે રાજ્ય સરકારે ગટરમાં ઠલવાતા પાણીને ટ્રિટ કરીને ખેડૂતો આપવા નક્કી કર્યુ છે ત્યારે અમદાવાદીઓ રોજ 900 એમએલડી પાણીનો ઉપયોગ કરે છે જેમાંથી મોટાભાગનુ પાણી ગટરમાં વહી જાય છે.આ ગટરના ગંદા પાણીને ટ્રિટ કરીને ફતેવાડી કેનાલ મારફતે અમદાવાદ જિલ્લામાં પહોચાડાશે.અત્યારે પ્રથમ તબક્કામાં 12 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇનુ પાણી પહોંચાડવામાં આવશે.જોકે,આગામી સમયમાં 33 હજાર હેક્ટર જમીનમાં પાણી આપવાનુ સરકારનુ આયોજન છે.