અમદાવાદ, તા, ૧૭
ભાદરવા મહિના સુધી ચાલુ રહેલા પાછોતરા વરસાદ અને જીએસટીના કારણે શાકભાજી સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવો સતત વધતા રહ્યા છે, જીએસ્તીનો અમલ થવાના કારણે મજુરી અને ખાંડ સહીત અન્ય કાચા માલના ભાવોમાં થયેલા ઊંચા વધારાના કારણે બજારના વર્તુળોના જણાવ્યા મુજબ સરેરાશ ૩૫ ટકાનો વધારો લગભગ દરેક ચીજોમાં નોધાવા પામ્યો છે. તે ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોએ પણ તેમાં દાટ વાળી દીધો છે. મીઠાઈઓમાં કાજુ ક્તરીના ભાવ ગયા વર્ષે રૂ. ૬૦૦થી શરુ થતા હતા તે આ વર્ષે ૮૦૦ થઇ ગયા છે, તેવી જ રીતે બરફી સહિતની અન્ય મીઠાઈઓનાં ભાવોમાં પણ ૩૦ ટકા જેટલો સરેરાશ વધારો નોધાયો છે. તેવી જ રીતે દૂધ, ખાંડ, ઘઉં, શાકભાજી, સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવોમાં મોટો વધારો નોધાયો છે. જેના કારણે બજારમાં રેસ્ટોરન્ટમાં
ઉપલભ્ધ ગુજરાતી અને પંજાબી થાળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આસમાને પહોચેલી આ મોંઘવારીમાં મધ્યમ વર્ગની હાલત ખુબજ કફોડી બનવા પામી છે. સેંકડો પરિવારો લાફો મારીને મો લાલ રાખવું પડે તેવી પરિસ્થિતિમાં દિવાળીની ઉજવણી માત્ર બાળકો અને પરિવારને ખુશ કરવા કરી રહ્યા છે. તમામ
પ્રકારના શાકભાજીના ભાવોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો નોધાવા પામ્યો છે.જયારે ડુંગળીના ભાવોમાં તો સીધો ૬૫ ટકાનો વધારો થયો છે. શાકભાજીના જથ્થાબંધ ભાવોમાં ઓછો ભાવ વધારો થયો છે પરંતુ ગ્રાહક સુધી પહોચતા જથ્થામાં મોટો વધારો રીટેલ વેપારીઓ ધ્વારા કરતો હોવાની ફરિયાદો મોટાપાયે ઉઠવા છતાં તેના ઉપર કોઈ નિયંત્રણ સરકાર લાદી શકે તેમ નથી તેથી મોંઘવારીનો ડબલ માર પડી રહ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.