Thol Nal Sarovar : થોળ અને નળ સરોવરને પ્રવાસન હબ બનાવવાનો પ્રયત્ન: ગુજરાત સરકારે ફાળવ્યા 50 કરોડ
રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે
બંને સ્થળોને વિકસાવવા 25-25 કરોડની ફાળવણી કરવામાં આવી
અમદાવાદ, મંગળવાર
Thol Nal Sarovar : ગુજરાત સરકાર દ્વારા થોળ અને નળ સરોવરને પ્રખ્યાત પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગે બંને સ્થળોના વિકાસ માટે કુલ 50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં 25-25 કરોડની ફાળવણી કરવામાં આવી
આનો મુખ્ય હેતુ પક્ષી અભયારણ્યના વિકાસ અને આકર્ષક બાંધકામ દ્વારા આ સ્થળોની ખ્યાતિ વધારવાનો છે. આ માટે નિષ્ણાત આર્કિટેક્ટ્સની નિમણૂંક કરીને આયોજનબદ્ધ રીતે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આ નવી પહેલથી થોળ અને નળ સરોવરના વૈશ્વિક પ્રોફાઇલમાં વધારો થશે.
વિશેષ પરિચય:
થોળ પક્ષી અભયારણ્ય: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામ પાસે સ્થિત છે.
નળ સરોવર: સાણંદ અને વિરમગામ નજીક આવેલું પ્રસિદ્ધ સ્થળ છે.
આ બંને સ્થળે દર વર્ષે શિયાળામાં અનેક દેશો અને વિદેશી પ્રજાતિના પક્ષીઓ મહેમાન બને છે, જેને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે.
આ દ્રષ્ટિએ, આ અભયારણ્યોને આધુનિક સુવિધાઓથી મજબૂત બનાવવાથી એ વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનશે, તેમજ સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપશે.