આજકાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણ પ્રેમપ્રકરણ ,પારિવારિક ઝઘડો ,આર્થિક સ્થિતિ કથળી બ્લેકમેલિંગ સહિતના ઘટનાઓંમાં તણાવ આવી લોકો જીવનથી નાસીપાસ થઇ મોતનું પગલુ ભરતા હોય છે,સુરતના કાપોદ્રામાં શાળામાં ભણતો વિદ્યાર્થીને કાકાએ ઠપકો આપતા નર્મદા નદીમાં પડતુ મૂકી મોતને વ્હાલ કરતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને ધો -10 શાળામાં ભણતા વિદ્યાર્થીને કાકાએ કોઇ બાબતને લઇ ઠપકો આપતા બાળકને લાગી આવ્યુ હતુ જેને લઇ નર્મદા નદીમાં ઝંપલાવી મોતને વ્હાલ કર્યુ હતુ જેને લઇ બાળકના રૂમમાંથી એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી જેમાં કોઇ બનાવમાં કાકાએ ભત્રીજા પર શંકા રાખી અવાર-નવાર ઠપકો અપાતા હતા જેને લઇ બાળકને લાગી આવતા અંતે ડિપ્રેશન રાખી જીવન ટૂંકાવ્યુ હતુ.
ઘટનાને જાણ કોપોદ્રા પોલીસેને થતા પોલીસે ઘરની પરિવારજનો સાથે પૂછપરછ કરી કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણવાનું પ્રયાસ કર્યુ હતું મૃતક બાળકના ઘરની તાલશી લેતા રૂમમાંથી એક સુસાઇડનોટ પણ મળી આવી હતી જેમાં કાકા શંકાનું લીધે મોતનો પગલુ ભરવાનું ઉલ્લેખ કરાયુ હતું પોલીસે કાકા વિરુદ્દ દુષ્પ્રરેણાનું ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.